________________
પ્રાતઃકાલની ઠંડી હવામાં ભગવાન મહાવીરે સમવસરણમાં બેસી ધર્મદેશના શરૂ કરી.
આ ધર્મદેશનાનું એક આશ્ચર્ય એ કે એ લોકોની પોતાની ભાષામાં અપાતી હતી. અત્યાર સુધી આવી જ્ઞાનવાતો દેવગિરા સંસ્કૃત ભાષામાં જ થતી. સામાન્ય લોકો એ સમજી શકતા નહીં. એવા લોકોને ન સમજાય, એ જ એની મહત્તા લેખાતી. સમજાય એ તો સામાન્ય વિદ્યા કહેવાય, ન સમજાય એ જ મહાન વિદ્યા લેખાય, એવો ભ્રમ સર્વત્ર વ્યાપેલો હતો. ધર્મ, કર્મ ને તત્ત્વની ચર્ચા લોકભાષામાં કરવી એ ખરાબ કર્મ લેખાતું.
લોકભાષામાં બોલનારને કોઈ સાંભળતું નહીં, એને શિષ્ટ લેખતું નહીં, એનું સન્માન કરતું નહીં. એને પંડિત લેખતું નહીં. સહુ કહેતાં : “આવી ઉચ્ચ વાતો કંઈ જનપદની ભાષામાં સારી લાગે ? ઊંચી વાતો માટે ભાષા પણ ભારબોજવાળી જોઈએ ને !” - ભગવાન મહાવીરે પહેલે પગલે ભાષાની મહાન ક્રાંતિ કરી. એમણે કહ્યું : જ્ઞાન જ્ઞાની માટે નથી. સાધારણ જન માટે છે. સામાન્ય લોકો સમજે, એ રીતે એમની ભાષામાં બોલવું ઘટે. એમણે લોકભાષામાં – અર્ધમાગધી ભાષામાં (મગધ દેશની તે કાળની ભાષામાં) પોતાની વાણીનો ધોધ વહેવડાવ્યો ! એમાં સંસારનાં, ધર્મનાં ગૂઢ રહસ્યો પ્રગટ કરવા માંડ્યાં.
જીવ શું ? અજીવ શું ? લોક શું ? અલોક શું ? પુણ્ય-પાપ શું ? આસવ-સંવર શું ? બંધ-મોક્ષ શું ? નરક શું ? નરકનાં દુઃખો શું ? નરકગમન કેમ થાય ? દેવ શું ? દેવલોકનાં સુખ શું ? દેવલોકમાં કેમ જવાય ? તિર્યંચ ગતિ શું ? મનુષ્યભવ શું ?
એકત્ર થયેલી મેદનીને આ જ્ઞાનવાણી સમજાવા લાગી. અરે, આ ધર્મબોધ તો સુંદર ! આપણે સમજી શકીએ તેવો. પેલો પંડિતોનો ભારબાજવાળો જ્ઞાનબોધ તો આપણે માટે આંખનું કાજળ ગાલે ઘસ્યા જેવો હતો ! આ તો જાણે આપણે બોલીએ, આપણે સમજીએ તેમ કહે છે ! આજ સુધી પુરુષ-પ્રમાણથી વચન-પ્રમાણ માનતા. હવે તો પોતે એમાં માથું મારી શકે તેવું થયું. જાણે એમ
૧૫૬ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org