________________
તલવારો મ્યાન કરાવે તેવી પ્રસન્નતા છે ! કાયા કંચનવર્ણી બની ગઈ છે. શ્વાસમાંથી સુગંધ વહે છે ! આંખ ફરે ત્યાં અમીધારા પ્રગટે છે !
૨ે ! પ્રભુને ! કેવળજ્ઞાન પ્રગટ્યું ! મહાજ્ઞાનદીપ પ્રગટ્યો ! પૃથ્વી, પાતાળ ને સ્વર્ગ – ત્રિલોકના સર્વ પદાર્થો એમને પ્રત્યક્ષ થયા ! ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળનાં દર્શન પ્રભુના અંતરમાં આવી વસ્યાં ! સંસારની કોઈ ગૂંચ એમને ન રહી ! સંસારની કોઈ ગ્રંથિ તેમને ન રહી.
સર્વજ્ઞ, સર્વદર્શી, બુદ્ધ, અહંનુ મહાવીરની જય !
નિગ્રંથ ભગવાન મહાવીરની જય !
જય જય નંદા ! જય જય ભદ્દા !
થોડી વારમાં તો વાતાવરણ રણઝણી ઊઠ્યું. માણસો તો દૂર હતા. દેવોએ એ અવસરનો લાભ લીધો. તેઓએ ધર્મસભા યોજી. ત્રણ કિલ્લા રચ્યા, ચાર દ્વાર કર્યાં, ઉપર સિંહાસન ગોઠવ્યું, એમ સમવસરણ (ધર્મસભા) યોજી પ્રભુની પાસે ધર્મદેશના સાંભળી !
અમૃતની એ વર્ષા હતી, પણ અમરને એ શા કામની ?
Jain Education International
For Private & Personal Use Only
૧૫૪ ૨ ભગવાન મહાવીર
www.jainelibrary.org