________________
સ. શબ્દ, ગંધ ને વાયુ પણ ગ્રાહ્ય થતાં નથી; તો પછી એ પણ સૂક્ષ્મ કહેવાય ને ?
જ. ના. શબ્દ કાનથી પકડાય છે, ગંધ નાકથી ને વાયુ ચામડીથી પકડાય છે. જે કોઈ પણ ઇંદ્રિયથી ન પકડાય તે સૂક્ષ્મ.
સ. જ્ઞાન એ શું આત્માનું બીજું નામ છે ?
જ. જ્ઞાન એ આત્માનો લાક્ષણિક ગુણ છે.
સ્વાતિદત્તને આટલા પ્રશ્નોથી પણ મહાયોગીના જ્ઞાનીપણા વિશે સંતોષ થયો. એણે કહ્યું : ‘વધુ પ્રશ્નોની જરૂર નથી. ચોખાના પાત્રમાંથી એક જ દાણો દબાવતાં ખબર પડી જાય કે ચોખા ચડ્યા છે કે નહીં ?’
થોડાં પ્રશ્નોત્તરો ૫ ૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org