________________
૨૯
થોડા પ્રોત્તરો
કૌશાંબીથી નીકળી મહાયોગી ચંપાનગરી આવ્યા. કૌશાંબીના રાજાએ લૂંટેલી આ નગરી દરિદ્રતાની મૂર્તિ જેવી બની રહી હતી. અહીં સ્વાતિદત્ત બ્રાહ્મણની અગ્નિશાળામાં મહાયોગી બારમું ચોમાસું રહ્યા. ચારે માસ ઉપવાસ
કર્યા.
સ્વાતિદત્તદત્ત બ્રાહ્મણને મહાયોગીના તપ માટે માન હતું, પણ તેમના જ્ઞાન વિષે પૂરતી ખાતરી નહોતી. એ માનતો કે ક્ષત્રિયો કદાચ તપ કરી શકે. પણ જ્ઞાનમાં તેઓથી માથું મારી ન શકાય. એક વાર એણે સહજ રીતે થોડા પ્રશ્નો પૂછી લીધા. ભગવાને એના અતિ સંક્ષેપમાં પણ સચોટ જવાબ આપ્યા :
સ. આત્મા શું છે ? જ. હું સુખી, હું દુઃખી, એમ “હું” એ આત્મા છે. સ. આત્માનું સ્વરૂપ શું? જ. ચેતના. સ. આત્મા કેવો છે ? જ. અતિ સૂક્ષ્મ ને અરૂપી છે. સ. સૂક્ષ્મનો અર્થ શો ? જ. જે ઇંદ્રિયથી ગ્રાહ્ય ન થાય તે.
૧૪૬ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org