________________
૩૦ કાન છે કે કોડિયાં ?
દીક્ષાનું તેરમું વર્ષ વ્યતીત થતું હતું. મહાયોગી વિહાર કરતાં કરતાં છમ્માણિ ગામે આવ્યા. ગામની બહાર તેઓ કાયોત્સર્ગ કરી ધ્યાનમાં રહ્યા.
સંધ્યાનો સમય હતો. આ વખતે દીક્ષાના પહેલા દિવસે જેવો બનાવ બન્યો હતો, તેવો જ બનાવ બન્યો : એક ગોપ પોતાના બળદો તેમને ભળાવી ગામમાં ગયો. મોડો મોડો પાછો આવ્યો. જોયું તો તેના બળદ ત્યાં નહીં તેણે મહાવીરને પૂછયું :
દેવાર્ય ! મારા બળદો ક્યાં ?'
પણ મહાયોગી તો ધ્યાનમાં હતા. એ કઈ રીતે જવાબ વાળે ? ગોવાળે બીજી વાર પૂછ્યું. મહાયોગી કંઈ ન બોલ્યા. ગોપનો ક્રોધ વધતો ચાલ્યો. એણે કહ્યું :
“રે મૂર્ખ ! આટઆટલી વાર કહ્યું તોય સાંભળતો નથી. તારે તે કાન છે કે કોડિયાં ?'
પણ મહાવીર તો, તોય ચૂપ રહ્યા.
વારુ, વારુ ! તારા જેવાને કુદરતે નકામા કાનનાં કાણાં આપ્યાં છે. લાવ પૂરી દઉં, એટલે તારે સાંભળવાની હંમેશ માટેની હરકત દૂર થાય.”
એ અજડ ગોવાળ જાડાં દર્ભમૂળ લઈ આવ્યો. ખીલા જેવા છેડા એણે
૧૪૮ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org