________________
અરે ! પ્રભુ હમણાં પધારશે; મારા અન્નનો સ્વીકાર કરશે; મારું આંગણું પાવન કરશે; મારું જીવન ધન્ય થશે !
“જીર્ણશેઠ ઘણો સમય રાહ જોતા બેઠા રહ્યા, ભાવના જ ભાવતા રહ્યા, અંતરમાં એમ ને એમ આનંદ મેળવતા રહ્યા. ત્યાં કોઈએ કહ્યું : “અરે ! મહાયોગીએ તો પારણું કરી લીધું ! જો, ત્યાં જયધ્વનિ સંભળાય !”
જીર્ણશેઠ ઊઠ્યા. પોતાને ત્યાં પ્રભુ ન પધાર્યા, એ વાતનો એને પળવાર ખેદ થયો. એણે પોતાના કર્મને દોષ દીધો, પણ બીજી પળે અને થયું કે, ભલે બીજે, પણ પ્રભુએ પારણું તો કર્યું. ધન્ય ! ધન્ય ! એના અંતરમાં આનંદ ઊછળી રહ્યો.
માટે હે શ્રોતાજનો ! ભગવાને પારણું ગમે તેને ત્યાં કર્યું, પણ એનું પુણ્ય જીર્ણશેઠને મળ્યું ! અંતરના ભાવની આવી વાત છે.' જયન્ત કેવલીએ વાત પૂરી કરતાં કહ્યું.
ઊંધું જમે-ઉધાર x ૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org