________________
આ ચોમાસામાં મહાયોગી મહાવીર અહીં પધાર્યા. આ ઉદ્યાનમાં બળદેવના મંદિરમાં રહ્યા. આ વાતની ખબર જીર્ણશ્રેષ્ઠીને પડતાં એ ત્યાં પહોંચ્યો. મહાવીર ધ્યાનમાંથી ઊઠે, એટલે પોતાને ઘેર ભિક્ષા માટે લઈ જવા, એવી એની ઇચ્છા હતી. એ માટે એ ત્યાં જ બેસી રહ્યો.'
પણ બપોર વીતી જાય, છતાં મહાયોગી ધ્યાનમાંથી ઊઠે જ નહિ. આમ એક સપ્તાહ ગયું, બે સપ્તાહ ગયા. જીર્ણશ્રેષ્ઠીએ માન્યું કે માસખમણ હશે. મહિને ભિક્ષા લેવા નીકળશે ત્યારે વાત !'
મંદિરનો ઓટલો જીર્ણશેઠ માટે તીર્થ બની ગયું. રોજ ત્યાં આવીને બેસે, મહાયોગી મહાવીરનાં દર્શન કરે, ભાવના ભાવે કે મહાપ્રભુ પોતાને ઘેર આજ પધારશે ને પારણું કરશે, કાલે પધારશે, ને પારણું કરશે. પોતે ધન્ય ધન્ય થઈ જશે.”
આમ એક મહિનો વીતી ગયો. મહાયોગી તો ભિક્ષા માટે ન નીકળ્યા. જીર્ણશેઠે માન્યું કે કદાચ માસખમણથી વધુ તપ હશે. આમ બે મહિના વીતી ગયા.'
ત્રણ મહિના પણ વીતી ગયા. જીર્ણશેઠનો ભાવ હતો. કંટાળો નહોતો. એને તો એક જ લગની લાગી હતી, પ્રભુને પાર કરાવવાની. ચાર મહિના પૂરા થયા. મહાયોગી આજે ભિક્ષા માટે નીકળવાના ! જીર્ણશેઠ એમને નિમંત્રણ આપી, વહેલો વહેલો ઘેર પહોંચી ગયો.
“મહાવીર ભિક્ષા માટે નીકળ્યા. માર્ગમાં અભિનવશ્રેષ્ઠીનું ઘર આવ્યું. તેઓ ભિક્ષા માટે ત્યાં થોભ્યા.
બારણે સાધુને ભિક્ષા માટે ઊભેલો જોઈ, નવા શેઠે દાસીને કહ્યું : પેલા સાધુને કંઈ આપી વિદાય કર !
દાસી ઘરમાં ગઈ. પાલીમાં અડદના બાકળા લઈ આવી. મહાયોગી એ લઈને ચાલતા થયા ! ચાર માસખમણનું એનાથી પારણું કર્યું. પારણું કરીને એ તો ચાલી નીકળ્યા.
“અહીં જીર્ણશેઠ તો રાહ જોઈને બેઠા છે. એના હૈયામાં હર્ષ માતો નથી.
૧૩૮ ૮ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org