________________
૨૭
ઊંધું જમેઉધાર
વૈશાલીમાં સમર નામનું ઉદ્યાન છે. એ ઉદ્યાનમાં જયન્ત નામના કેવલી સાધુ આવ્યા છે. પ્રભુ પાર્શ્વના ચાર યામના એ ઉપાસક છે. આ ઉદ્યાનમાં ભગવાન મહાવીર અગિયારમું ચોમાસું રહ્યા હતા. થોડા વખત પહેલાં જ તેઓ આગળ વિહાર કરી ગયા હતા.
જયન્ત કેવલીએ ઉપદેશ સાંભળવા એકત્ર થયેલા લોકોને એક અજબ વાત કહી. એમણે કહ્યું :
વસ્તુમાં સિદ્ધિ નથી. ભાવમાં સિદ્ધિ છે. તમારા ગામના એક શેઠે ભગવાનને પારણું કરાવ્યું; એનું પુણ્ય બીજા શેઠને મળ્યું !”
કેવું વિચિત્ર જમા-ઉધાર ! લોકો આશ્ચર્યમાં પડી ગયા. એમણે કહ્યું : આપે એક જણ, લે બીજો જણ. વાવે એક જણ, લણે બીજો જણ. હે મહાદેવલી ! આ વાત અમને સમજાય તે રીતે કહો.”
જયન્ત કેવલી બોલ્યા : ‘તમારા ગામમાં જિનદત્ત અને લક્ષ્મીદત્ત નામના બે શેઠ છે. જિનદત્ત પહેલા નગરશેઠ હતા. હાલમાં એમની સંપત્તિ નાશ પામી છે. માટે એ મશ્કરીમાં જીર્ણશ્રેષ્ઠી નામે ઓળખાય છે.”
લક્ષ્માદા પાસે લક્ષ્મી છે. એમને નગરશેઠપદ મળ્યું છે. એ અભિનવશ્રેષ્ઠીને નામે પંકાય છે.”
જીર્ણશેઠ ભાવનાવાળો છે, નમ્ર છે. લક્ષ્મીદત્તને લક્ષ્મીનો અહંકાર છે.
ઊધું જમે-ઉધાર ૭ ૧૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org