________________
કુણ નર ધરતીમે સતીઓ જાગિયો, હરનું સિંગાસણ ડોલા ખાય !
૨૬
સંગમવિજય
સમય-સાગરના કિનારા પરથી દશ દશ વર્ષનો તિતિક્ષાનો લાંબો ગાળો ચાલ્યો ગયો છે. આ સમય દરમ્યાન મહાયોગી મહાવીરના ભ્રમણનું વૃત્તાંત, એમને માથે પડેલાં દુઃખોનો ચિતાર અને એમના મનની નિસ્યંદ શાંતિનો ઇતિહાસ-પૃથ્વી ૫૨ કહેનારને માટે આંખમાં આસું ને મોમાં ગીત જેવો પાવનકારી પ્રસંગ બની ગયો છે.
જીવલેણ પરિષહોથી પણ પીછેહઠ કેવી ? દુઃખ સામેથી ગમે તે રીતે છટકવાની વૃત્તિ કેવી ? અરે આ તો સામે પગલે જઈને દુઃખનું સામૈયું કરવાની
ભાવના !
Jain Education International
સુખ છે માટે જીવનને ચાહવું, દુઃખ છે માટે ન ચાહવું, એ વાત જ નહિ. જીવન જીવન છે, જીવન જીવવાનો કોઈ ગૂઢ અર્થ છે. એ અર્થમાં જીવનને ચાહવું; મૃત્યુની ગણના ન કરવી.
ગૃહત્યાગ પછી પદેપદે, સાંભળતાં હૈયું થંભી જાય એટલી સિતમની વર્ષા, વર્ણવતાં જીભ પણ કાંપી ઊઠે એટલી હ્રદયવિદારક વ્યથાઓ ! રે સંસા૨માં જે કોઈનો શત્રુ નથી, એના તરફ જ આવો શત્રુતાભર્યો જગવર્તાવ ! ને જાદુ તો એ, કે એવા નિર્દય વર્તાવ સામે બે હોઠોનો ફફડાટ પણ નહિ ! જ્યારે જુઓ ત્યારે માત્ર કરુણાની અમીધારાનો જ છંટકાવ !
For Private & Personal Use Only
૧૨૮ ૭ ભગવાન મહાવીર
www.jainelibrary.org