________________
ભૂલનારની જ જીત છે.”
બંનેના રાહ જુદા પડ્યા. “ગુરુદેવ ! જાઉં છું. આશીર્વાદ આપો કે સાધનામાં સફળ નીવડું.'
શ્રાવસ્તીની હાલાહલ કુંભારણ આજીવક મતની ઉપાસિકા હતી. (આજીવક મતનો સ્થાપક જ ગોશાલક હતો) એની ભંડશાળામાં જઈને ગોશાલક ઊતર્યો. છ માસ સુધી એણે તપ કર્યું. આખરે એને તેજશક્તિ પ્રાપ્ત થઈ. એણે શક્તિપરીક્ષાનો પહેલો અખતરો કૂવા પર પાણી ભરતી દાસી પર કર્યો. ગોશાલકે એનો ઘડો કાંકરો મારી ફોડી નાખ્યો. દાસીએ ગાળો આપી, ગોશાલકને ક્રોધ વ્યાપ્યો. એણે આંખમાંથી તેજોલેક્ષા છોડી, બાઈ ત્યાં ને ત્યાં ભસ્મ !
પ્રયોગ સફળ થયો, ગોશાલકના હર્ષનો ને ગર્વનો પાર ન રહ્યો. દુનિયાદારી એ જાણતો હતો. દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહીયે, એ ન્યાયે એણે પાર્શ્વ સંપ્રદાયના છ સાધુઓ પાસેથી નિમિત્તશાસ્ત્ર શીખી લીધું. હવે એ લોકોનાં સુખ-દુઃખ, લાભ-હાનિ, જીવિત-મરણ ભાખવા લાગ્યો ! ટૂંક વખતમાં એ સિદ્ધવચન નિમિત્તશાસ્ત્રી બની ગયો.
એક તેજોલેશ્યા ને બીજું નિમિત્તજ્ઞાન : આ બે વાતે ગોશાલકનો મહિમા ખૂબ વધારી દીધો. લોકોના ટોળેટોળાં એનાં વ્યાખ્યાન સાંભળવા એકઠાં મળવા લાગ્યાં. હજારો ભક્તો ઊભરાવા લાગ્યા. એના જયજયકારથી દિગંત ગાજવા લાગ્યું. ગરજુ લોકોની ગોષ્ઠિ જેવું એ બની ગયું. ગોશાલક સાધારણ ભિક્ષુમાંથી આચાર્ય બની ગયો. અને હવે બાકી શું હતું કે બાકી રાખે ?
થોડા વખતે આજીવક સંપ્રદાયના પ્રથમ તીર્થકર તરીકે એ જાહેર થયો. નિયતિવાદનો એ પરમ પ્રચારક બન્યો.
તે જગ્યા છે. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org