________________
૨૫
નિદાયના દિવસો હતા. સૂર્ય સોળે કળાએ તપી રહ્યો હતો. માર્ગમાં વૈશ્યાયન નામનો તાપસ સૂર્યમંડળ પર દૃષ્ટિ સ્થિર કરીને તપ કરતો હતો. અગ્નિ વરસાવતો સૂર્ય એના દેહને તપાવતો હતો, પણ એનું મન વ્રતમાં સ્થિર હતું. એની મોટી જટામાં રહેલી જૂઓ તાપથી અકળાઈને જમીન પર પડતી હતી. દયાભાવી તાપસ જમીન પર પડેલી જૂઓને ઉપાડી ફરી ફરીને જટામાં મૂકતો હતો.
તેોલેશ્યા
ગોશાલક જેવા આત્માના અપ્રતિરથ મહારથીને આ કાર્ય ક્ષુદ્ર લાગે તે સ્વાભાવિક હતું. અનાર્ય દેશનો ભયંકર પ્રવાસ એક વાર નહિ, પણ બબ્બે વાર ગુરુ સાથે એ કરી આવ્યો હતો. વાધના બીજા અવતાર જેવા કૂતરાઓ એમના દેહને ક્ષત-વિક્ષત કરી ગયા હતા, પણ બંને જણાએ ઊંકારો પણ કર્યો નહોતો ! એવા ગોશાલકને યોગીનું આ કાર્ય બાલચેષ્ટા જેવું લાગ્યું. એનાથી ખડખડાટ હસી પડાયું, ને બોલી જવાયું :
‘અરે, આ તે જોગી કે જૂઓનો મિજબાન !'
આ શબ્દો તાપસના શ્રવણપટ પર અથડાતાં એનો ચહેરો તપાવેલા તાંબાના પતરા જેવો બની ગયો. એણે મોં ફેરવ્યું, ને ગોશાલક ૫૨ દૃષ્ટિ સ્થિર કરી. એ દૃષ્ટિમાંથી દાહ ઉપજાવતી અગ્નિજ્વાળાઓ જાણે બહાર પડી.
Jain Education International
‘અરેરે ! બળી મૂઓ !' ગોશાલકે બૂમ પાડી. એની આજુબાજુનાં લીલાં કંચન વૃક્ષો બળીને સાવ કાળા કોલસા જેવાં બની ગયાં હતાં. ગોશાલકને લાગ્યું તેોલેશ્યા ૪ ૧૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org