________________
નથી, એ ભાવ રાખો !' શ્રમણ મહાવીરે ટૂંકાણમાં પ્રત્યુત્તર વાળ્યો.
ગુરુ-શિષ્ય આગળ વધ્યા. દૂર દૂર દેખાતી એક પલ્લી પાસે તેઓ જઈ પહોંચ્યા. ત્યાં તો ધૂળ-રાખનો એક વંટોળિયો જાગ્યો, એ વંટોળિયામાં વાગોળની જેમ ઊડતો ઊડતો એક બિહામણો ભીલ આવ્યો. આવીને સિફતથી શ્રમણ મહાવીરની પિંડીનું માંસ કાપી ગયો.
ધૂળનો બવંડર શાંત થતાં મહાવીરે શિષ્યને કહ્યું : ‘સંસારમાં સહુ શરીરની શક્તિનો મહિમા ગાય છે; મારે આત્માની અનંત શક્તિનો મહિમા પ્રગટ કરવો છે !'
‘એટલે જ લોકોએ આપને મહાવીર ઉપનામ આપ્યું છે ને ! પણ ગુરુદેવ ! મારું મન તો ઘણી વાર ડગી જાય છે હોં,' આર્ય ગોશાલકે નિખાલસ રીતે કહ્યું. ‘વત્સ ! સર્પ ને રજ્જુ જેવી આ બધી મનની ભ્રમણાઓ છે. આ મિત્ર ને આ શત્રુ - આ જગતનો એ મોટો ભ્રમ છે. આ ભ્રમથી મનને ડગતું રોકવા એક કલ્પના આપું. સંગ્રામના મોખરે રહેનાર હાથીની વૃત્તિ ધારણ કર. એ હાથી ગમે તેટલા ભાલા ભોંકાય, તીર વાગે, ખાડાટેકરા આવે, પણ કર્તવ્યને ખાતર શરીરની મમતા છાંડી આગળ જ ધગ્યે જાય છે ! શરીરને એ સાધનમાત્ર લેખે છે. સિદ્ધિ માટે એ સાધનનો પૂરેપૂરો ઉપયોગ કરે છે. સિદ્ધિ મળી જાય ને સાધન ખલાસ થઈ જાય, તો એમાં શોચ કેવો ? એક જાનવર પણ કલ્પનાથી આટલું સાધ્ય સિદ્ધ કરી શકે છે, તો આપણે તો માનવી છીએ !'
સુંદર કલ્પના ! ગોશાલક આ વિચારશ્રેણીથી અપ્રતિમ વીર બની ગયો. દુઃખે એમને ડરાવ્યા નહિ. વેદનાએ એમને ગભરાવ્યા નહિ. પ્રતિકારની વૃત્તિ એમણે દાખવી નહિ ! જાણે વિપત્તિનો જ આહાર કરીને એ સમય વિતાવવા લાગ્યા.
આવા પ્રદેશમાં શ્રમણ મહાવીર છ માસ રહ્યા. ખાવાનું તો મળ્યું કે ન મળ્યું, એની ચિંતા નહોતી ! છ માસ સુધી નિરાહાર રહેવાની શક્તિ એમની પાસે હતી !
અનાર્ય દેશનો આ પ્રથમ ભયંકર પ્રવાસ પૂરો થયો. જીવનભરની સુકીર્તિ માટે આ એક જ પ્રવાસ બસ હતો. પ્રશંસા, કીર્તિ, દુંદુભિઓ, વાજાંગાજાં
અનાર્ય દેશમાં ૫ ૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org