________________
૨૪
અનાર્ય દેશમાં
આર્યભૂમિ મગધના રમણીય સીમાડા છાંડીને અનાર્ય ભૂમિ જેવા રાઢ દેશના, સ્મશાનગૃહ જેવા પ્રદેશમાં ભ્રમણ મહાવીર અને તેમનો શિષ્ય ગોશાલક પ્રવેશ કરી રહ્યા છે.
લોકો પોકાર પાડીને કહે છે : થોભાવો એમને ! થંભાવો એમને ! એમને શું વગર મોતે મરવું છે ? અરે ! આ સીમા ઓળંગી એ કઠોર ભૂમિમાં પ્રવેશેલો કદી હેમખેમ પાછો ફર્યો જાણ્યો નથી. એનાં તળાવ નકરાં દુર્ગધના પૂડા છે. દિશાઓમાં હાહાકાર સિવાય બીજો રવ નથી. ત્યાં ચારે તરફ વેલ અને લતાઓની જેમ નરમૂંડમાળાઓ લટકી રહી છે. પગદંડી વગરના એ પ્રદેશના પ્રવાસમાં, પગલે પગલે મરેલા માનવોની લાશ ગંધાઈ રહી છે !
જંગલી જેવા લોકો વાઘની બોડીમાં રહે છે. તેઓ પશુઓ જેવી ભાષા બોલે છે. માનવરક્ત એમનું સુમિષ્ઠ પેય ને નરમાં એમનું સુસ્વાદુ ભોજન છે.
અહીં વડવાઈઓ પર કાળા નાગ ઝૂલે છે. પૃથ્વી પર વીંછીનાં બિછાનાં છે. નોળિયા અને ઉદર પૃથ્વી બધી કાણી કરી નાખે છે. મોતની આ ભૂમિ છે. જીવન અહીં અકસ્માતું છે.
એવા એ પ્રદેશમાં આ બે ઉત્સાહથી ને ઉમંગથી ચાલ્યા જાય છે ! એમના પગમાં થડકારો નથી. આંખમાં ભયનો પડછાયો નથી. મોસાને જતા હોય એવી એમના મુખ પર પ્રસન્નતા છે. ત્યાં મા પીરસણ હાજર હશે, એવો જાણે પ્રેમભાવ ભર્યો છે !
અનાર્ય દેશમાં ૮ ૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org