________________
નાણી જોઈએ. તું મને અનુસરીશ ?'
ગોપાલક વિચાર કરી રહ્યો, પણ ગુરુનું વચન તેને માટે અવિચારણીય હતું. શ્રાવસ્તીથી થોડે દૂર હલિદુગ નામના સ્થળે મોટા ઝાડ નીચે બંને રાત રહ્યા. અનેક પ્રવાસીઓ ત્યાં હતા. સવારે વહેલા ઊઠી બધા ચાલી નીકળ્યા. તેમણે સળગાવેલા અગ્નિથી જંગલમાં દાવાગ્નિ લાગ્યો. જમીન પરનું ઘાસ અગરબત્તીની જેમ બળવા લાગ્યું. ગોશાલક ને ગુરુ બંને ધ્યાનમાં ઊભા હતા. પગ નીચેનું ઘાસ સળગ્યું; શિષ્ય બૂમ મારી : “ગુરૂ, ભાગો, ભાગો !”
પણ ગુરુ તો પથ્થરની પ્રતિમાશા ધ્યાનમગ્ન રહ્યા. સળગતો અગ્નિ સુરસુર કરતો એમના પગની આસપાસ ફરી વળ્યો. બંને પગ શ્યામ બની ગયા, પણ ધ્યાનકાળ પૂરો કરીને જ મહાવીર ખસ્યા !
ગુરુની નિશ્ચલતા ને પોતાની ચંચળતા ગોશાલકના મનને દમી રહી. એણે પોતાની સહનશીલતાની પરીક્ષા આપવા માટે અનાર્ય દેશ પ્રતિ પ્રયાણનો આગ્રહ સેવવા માંડ્યો.
૧૧૮ w ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org