________________
શિષ્ય પર ગુરુને અપૂર્વ ભાવ થયો. તેઓ સાધનાના દુર્ગમ પથ પર આગળ ને આગળ કદમ ભરતા ગયા. ગુરુનાં તપ, જ્ઞાન અને પ્રજ્ઞા પાછળ ગોશાલક દીવાનો બન્યો હતો. એ દીવાનાપણું, એ ઘેલછા વણમાગ્યા કજિયા નોતરી લાવતી. એક વા૨ કોઈ ગામમાં બંને ઊતર્યા હશે, ને પડખે ધર્મોત્સવ ઊજવાતો હશે. ધર્મ શબ્દ એક. એનો અર્થ સહુ સહુનો આગવો: દારૂ પીવે એ પણ ધર્મમાં ગણાય ! અનાચાર સેવવો એ પણ ધર્મમાં ગણાય ! કેટલાક ધર્મ આવા. એક ધર્મનો એક જલસો જામેલો. અનેક સ્ત્રીપુરુષો એમાં ભાગ લઈ રહ્યાં હતાં. તેઓ રંગબેરંગી વસ્ત્રો પહેરી, મદ્યપાન કરી, અનેક પ્રકારના ચાળા કરતાં નૃત્ય કરતાં હતાં.
ગોશાલકથી આ ન સહેવાયું. એણે ત્યાં જઈને ઉચ્ચ સ્વરે કહ્યું : ‘અરે મૂર્ખે ! આ મોક્ષમાર્ગ નથી. કંઈક સમજો ! સાચું સમજવું હોય તો આવો મારા ગુરુ પાસે, આ રહ્યા અહીં.’
આમ બૂમબરાડાથી રંગમાં ભંગ પડ્યો. સહુ ચિડાયાં : કેટલાક રાશક્ત માણસોએ એને પકડીને મૂઢ માર મારવા માંડ્યો. પણ એમ દેહને કષ્ટ થાય તેથી સત્યને થોડું છુપાવાય !
ગોશાલકે તો પાછી એ જ વાત કહેવી ચાલુ રાખી. મહાપ્રયાસે નૃત્ય રંગ પર આવ્યું હતું, ત્યાં આ જડ તાપસે ફરી વિઘ્ન કર્યું. ફરીથી એને કૂતરાની જેમ સૌએ ઝૂડ્યો.
આમ ત્રણ વાર બન્યું, પણ ગોશાલક કોનું નામ ? એણે મા૨ ખાતાં ખાતાં ફક્ત એટલું જ કહ્યું : ‘રે ભલા માણસો ! મને મારા દેહની પડી નથી, પણ સત્યની ફિકર છે.'
શિષ્યની આવી ઉચ્ચ મનોભાવના ને દ્દઢ મનોવૃત્તિ જોઈ ગુરુ કંઈ કંઈ આકાંક્ષાઓ સેવી રહ્યા. એક દિવસ એમણે કહ્યું : ‘વત્સ ! શરીરની મમતા આપણને નથી, ને આપણને ત્રાસ આપનાર તરફ પણ હિંસાનો આપણા મનમાં લવલેશ ખ્યાલ નથી. આ બે વસ્તુની પાકી પરીક્ષા માટે અનાર્ય દેશમાં જઈએ, જ્યાંનું પંખી પણ આપણું પરિચિત ન હોય, જ્યાં આપણને દુ:ખમાંથી મુકવનાર પણ કોઈ ન હોય ત્યાં જઈએ. જે દેશમાં દયાનું નામ ન હોય, ત્યાં જઈને આપણી અહિંસા ને પ્રેમભાવનાની કસોટી કરીએ. આ રીતે આપણા સિદ્ધાંતોને
આર્ય ગોશાલક ઃ ૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org