________________
નિશ્ચય થઈ ગયો કે ભવિતવ્યતા મિથ્યા થતી નથી. જે થવાનું હોય છે, તે પહેલાંથી નક્કી થયેલું હોય છે. આ નિયતિવાદે એના જીવનમાં પાછળથી મોટો ભાગ ભજવ્યો.
એક સ્થળે ભિક્ષા માટે જતાં દુકાનદારે ગુરુ માટે ગમે તેવા હલકા શબ્દો વાપરી અપમાન કર્યું. રે ! પોતાની જાત માટેનો ગર્વ ભલે ખરાબ હોય, પણ સમર્થ ગુરુ માટેનો ગર્વ કંઈ અસ્થાને નહોતો ને ! પોતાના આરાધ્ય ગુરુ માટે દુકાનદાર ઘસાતા શબ્દો બોલ્યો, આથી કોપાયમાન થયેલા ગોશાલકે કહ્યું : ‘મારા ગુરુની આણાથી કહું છું, કે તારા જેવા હૈયાબળેલાની હાટડી પણ બળી જજો !'
શબ્દોમાં અપૂર્વ સામર્થ્ય છે. શબ્દ એ પણ દૈવી શક્તિ છે. એ શબ્દો અંતરની આહના હતા. એ આહ આગરૂપે પ્રત્યક્ષ થઈ. ખરેખર, દુકાનદારની હાટડીમાં ક્યાંકથી આગ લાગી. પોતાના ગુરુના નામ-સામર્થ્ય ૫૨ ગર્વ ધરતો તરુણ તપસ્વી પાછો ફર્યો. સાભિમાન સર્વ વૃતાંત એણે ગુરુદેવને નિવેદિત કર્યો.
ગુરુએ તો એવા આભિમાનને પણ પાપ-વ્યાપાર કહ્યો. શિષ્યની ગુરુપરાયણતા આથી વિશેષ રાગભરી બની. એનુ આકર્ષણ સાત્ત્વિકતા કરતાં શક્તિ તરફ વધુ ઢળતું ગયું.
માર્ગમાં ચાર યામના ઉપાસક ભગવાન પાર્શ્વના સાધુઓ મળ્યા. તેઓએ શરીર પર વસ્ત્રાદિ ધાર્યાં હતાં. ગુરુનું માહાત્મ્ય વધારવા ગોશાલક એમની સાથે લડી પડ્યો, ને તેઓ તરફ તુચ્છ ભાવ બતાવતો તે કહેવા લાગ્યો :
‘અરે મુનિઓ ! તમે વસ્ત્રાદિની ગ્રંથિ ધારણ કરો છો, ને તમારી જાતને નિગ્રંથ કહેવરાવો છો ? જુઓ ને, આ મારા ગુરુદેવ શ્રમણ ભગવાન મહાવીર ! વસ્ત્રમાં તો શું, શરીરમાં પણ તેમને મમત્વ નથી ! એ જ સાચા નિગ્રંથ છે.’
પેલા મુનિઓ પણ કંઈ ઓછા ઊતરે એવા નહોતા. બંને વચ્ચે ઠીક શાબ્દિક ઝપાઝપી થઈ. આમ જીભાજોડી કરીને પાછા ફરેલા ગોશાલકે મહાવીરને કહ્યું :
‘પ્રભો ! આજે પોતાના કાજે બધી સગવડો ઊભી કરનારા ને પરિગ્રહવાળા સાધુઓ સાથે મારી મુલાકાત થઈ. મેં તો તેમને ખૂબ તોળી તોળીને દીધી.’
આ ગોશાલક ઃ ૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org