________________
વાત્સલ્ય ઊભરાય તેવી શરણાગતિ હતી.
“વત્સ ! હું તારો શિષ્ય તરીકે સ્વીકાર કરું છું. આત્મવિલોપન એ જ આત્મવિજયની ચાવી છે. વૃક્ષ થવા ઇચ્છનાર બીજને પહેલાં પૃથ્વીમાં દટાવું પડે છે.” શ્રવણ મહાવીરે પોતાના ઉપદેશનો સાર કહી દીધો.
શ્રમણ મહાવીરના સંસારત્યાગને હજી બીજું જ ચોમાસું હતું. એમની તિતિક્ષાનો રાહ લાંબો હતો, એકાકી હતો, એમાં આ નરબંકો સાથી સાંપડી ગયો.
ગોશાલક ગુરુની ચરણરજ બની ગયો. શ્રમણ મહાવીરના દેહનો પડછાયો બનીને એ ફરવા લાગ્યો. શિષ્યની ઉગ્ર સાધના, અપૂર્વ અર્પણભાવ જોઈ સોળ કળાએ ખીલી નીકળ્યા. રહસ્યો માટે અંતરનાં કમાડ એમ ને એમ ખૂલી જવા લાગ્યાં.
આ ગુરુ-શિષ્યની જોડલી, અત્યારે જેને આપણે ચમત્કારો કહીએ છીએ એવા, એ કાળના સામાન્ય અનુભવજ્ઞાનની, કસોટીઓ કરતી પ્રવાસ ખેડવા લાગી. એકદા માર્ગમાં ગોશાલકને સુધા લાગી. નજીકમાં ગોવાળો ખીર રાંધતા હતા. ભડભડ બળતા ચૂલા પર માટીનાં પાત્રમાં એ તૈયાર થઈ રહી હતી.
ગુરુદેવ ! એ લોકો પાસેથી ખીરની ભિક્ષા લઈ આવું ?' શિષ્ય ગુરુની આજ્ઞા ચાહી. ગુરુએ શિષ્ય માટે પોતાનાં આંતર-બાહ્ય ખુલ્લાં મૂક્યાં હતાં. એમણે કહ્યું : “ખીર નહિ થાય, હાંડલી ફસકાઈ જશે, મહેનત માથે પડશે !'
ગોશાલકે ગોવાળિયાઓ સાંભળે તેમ કહ્યું : “અરે ! સાંભળો છો ? મારા ગુરુ કહે છે કે ખીર થશે નહિ, હાંડલી ફસકી જશે.”
આ સાંભળી ગોવાળોએ વાંસની ખપાટો ને માટીથી હાંડલીને છાંદી દીધી, ને પાસે ચોકી કરવા બેઠા. ને દૂધમાં ચોખા ઘણાં હતાં. ચોખા ફૂલ્યા. હાંડલી તડાકા કરવા લાગી અને ખરેખર, પ્રચંડ અગ્નિમાં લોહપાત્ર ગળી જાય એમ, હાંડલી ફસકાઈ ગઈ. ગોશાલક ગુરુ ગમ પર વારી ગયો. એ નમ્ર, વિનમ્ર, અતિ નમ્ર શિષ્ય બની રહ્યો; પોતાની જાતને ભૂલી ગયો. સત્યની ખોજ માટે તો માણસે ખોવાઈ જવું પડે ને ! પહાડ કંકર બની ગયો.
આ પ્રસંગો એને બીજા પરિણામ પર લઈ ગયા. ગોશાલકના મનમાં
૧૧૪ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org