________________
એક દિવસ ભિક્ષા માટે જતા ગોશાલકે સ્વાભાવિક પ્રશ્ન કર્યો : “આજે મને કેવો આહાર મળશે, પ્રભુ ?'
“કોદરાના ભાત, ખાટી છાશ ને ઉપર દક્ષિણામાં ખોટો તાંબિયો!' ગુરુથી સ્વાભાવિક કહેવાઈ ગયું.
ગોશાલકને ગુરુવાક્યને કસોટીએ કસવું હતું. ઘણું રખડ્યો, પણ આખરે તો મળવાનું હતું તે જ મળ્યું. ગોશાલક અપાર શ્રદ્ધાથી શ્રમણ મહાવીનો ચરણકિંકર બની રહ્યો.
નાલંદાપાડાના ચાતુર્માસ પૂરા કરી મહાવીર નીકળ્યા ત્યારે ગોશાલક ભિક્ષા માટે બહાર ગયો હતો. એ પાછો આવ્યો ત્યારે એણે મહાવીરને ત્યાં ન જોયા. એણે થોડી વાર રાહ જોઈ, કદાચ ક્યાંક ગયા હોય. પછી એણે રાજગૃહીની ગલીએ ગલી શોધી વાળી, પણ મહાવીરનો ક્યાંય પત્તો ન લાગ્યો. ગોશાલકને મહાવીરદેવની ૨ટના લાગી હતી. એણે પોતાના નિવાસસ્થાને આવી, પોતાનું જે કંઈ હતું તે બ્રાહ્મણોને દાન કરી દીધું, ને પોતે માથું મૂંડાવી બહાર નીકળી પડ્યો.
શોધતો શોધતો એ કોલ્લાગ સન્નિવેશ પહોંચ્યો. અહીં લોકોમાં ભગવાનની તપસ્યાની ને પારણાંની ચર્ચા ચાલતી સાંભળી. લોકો કહેતા : “અરે, આખા ચાર મહિના, ને પ્રભુ બે વાર જ કરપાત્રમાં આવે તે ભિક્ષા લે. કેટલીક વાર તો આખા ચાતુર્માસમાં એક જ વાર ભિક્ષા ! અરે, ક્ષુધા-પિપાસા પર આવો કાબૂ તો જીવનમાં પહેલી વાર જ નીરખ્યો !”
કોઈ કહેતું : “આપણે માનીએ છીએ કે દિવસમાં ત્રણ વાર ન ખાઈએ, પૌષ્ટિક આહાર ન લઈએ તો મરી જઈએ, પણ આ મહાયોગી તો ચારચાર મહિના સુધી નિરાહાર રહે છે, ને રોજ કેટલાય ગાઉનો પંથ કાપે છે. સાથે ધ્યાન ધારણા પણ ચાલુ જ હોય છે.'
ગોશાલકે જાણી લીધું કે આ પોતાના ઇષ્ટદેવની સુકીર્તિ-ગાથાઓ છે. મહાવીર આટલામાં જ હોવા જોઈએ. તરત એણે ભગવાનને શોધી કાઢ્યા.
ચરણમાં નમસ્કાર કરતો એ બોલ્યો. “ભગવનું, આપ મારા ગુરુ, હું આપનો ચેલો. મારો સ્વીકાર કરો.' શબ્દોમાં આર્જવ હતું, નિરાધારતા હતી,
આર્ય ગોશાલક # ૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org