________________
૨૩
આર્ય ગોશાલક
સત્યની શોધ કાજે માનવી સર્વસ્વ ફગાવી દેતો, એવા ઉત્સાહભર્યા એ દિવસો હતા. એવા દિવસોની એક સુંદર સવારે, અષાઢનાં વાદળો હજી ગર્જી રહ્યાં હતાં ત્યાં, એક તેજસ્વી જુવાન આવીને શ્રી મહાવીર વર્ધમાન સામે ઊભો રહ્યો. રાજગૃહ નગરીના નાલંદાપાડાની (નાલંદા વિશ્વવિદ્યાલયવાળું સ્થળ) વણકરશાળામાં મહાવીર ચાતુર્માસ માટે સ્થિર થયા હતા.
ગર્જી રહેલાં વાદળો વરસી પડ્યાં, અને પેલો જુવાન શ્રમણ મહાવીરના ચરણમાં નમ્યો. વંઘો ને બોલ્યો.
‘હું ગોશાલક - અનેક શિષ્ય-સેવકોનો આરાધ્ય - હે મહાશ્રમણ ! આજે આપનો શિષ્ય થવા ચાહું છું. રાજવંશી જેવું રૂપ, ચક્રવર્તી જેવું તેજ ને બૃહસ્પતિ જેવી આપની વાણી સાંભળી હું પ્રસન્ન છું. દેહ પર મેળવેલા આપના વિજયને, ક્ષુધા-તૃષાએ સ્વીકારેલી આપની અધીનતાને હું વંદું છું. મારો શિષ્ય તરીકે સ્વીકાર કરો. જીવનના અકળ પડદા આપની ચરણ-ઉપાસના દ્વારા ભેદવા ઇચ્છું છું.'
શ્રમણ મહાવીરે ફરી ફરીને એ તરુણ તપસ્વીને નીરખ્યો. તરુણાવસ્થા હતી. આંખોમાં અભયની જ્યોત હતી. ઓષ્ઠ પર દૃઢ નિશ્ચયની રેખા હતી. જીભ પર પાંડિત્ય હતું. વાણીમાં જ્ઞાનની તૃષા હતી. છતાંય માગણીનો જવાબ ન વાળ્યો, પણ ગોશાલક તો મહાયોગીનો બંદો બની ત્યાં જ રહી ગયો. સેવા છે, ભાવના છે, ભક્તિ છે, આજ નહિ સ્વીકારે તો કાલે સ્વીકારશે.
૧૧૨ એ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org