________________
‘તો ચાલો, અમે પણ આવીએ !'
બધા ચાલી નીકળ્યા. આ પગલાં પારખનારો પુષ્ય નામનો મહાસામુદ્રિક હતો. પોતાના જ્ઞાન માટે એ વખતની દુનિયામાં એ પંકાયેલો હતો. એને પોતાના કથન પર પ૨મ વિશ્વાસ ને પોતાના જ્ઞાનનું અજબ અભિમાન હતું.
પગલેપગલું સાંધતાં બધા આગળ વધ્યા. આખરે તેઓ નિશ્ચિત ઠેકાણે આવી પહોંચ્યા, પણ ત્યાં જોયું તો સાવ વિપરીત દૃશ્ય ! ચક્રવર્તીને બદલે એક સાવ નગ્ન ભિક્ષુ ત્યાં ઊભો હતો ! દેહ પર વસ્ત્ર નથી. માથા પર છત્ર નથી. પગ સાવ ખુલ્લા છે ! શરીર રોટાયેલું છે.
‘અરે ! આ તો કુંજરને ઠેકાણે કીડી મળી !' બધા હસી પડ્યા.
પુણ્ય સામુદ્રિક તો સ્તબ્ધ બનીને ઊભો રહ્યો, એને તો કાપો તો લોહી ન નીકળે ! થોડી વારે એ ગુસ્સામાં બોલ્યો.
‘શાસ્ત્રો પરથી મારો વિશ્વાસ સરી જાય છે. હું શાસ્ત્રગ્રંથોને જળશરણ કરી દઈશ.'
આ વખતે એક જણાએ જરા મહાવીરની પાસે જઈને, એમને બરાબર નીરખીને કહ્યું :
“અરે પુષ્ય ! તમે ખોટા નથી. સાચે જ, આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી; આ તો ચક્રવર્તી પણ જેના ચરણમાં શિર ઝુકાવે, એ પ્રભુ મહાવીર છે. ભાવિ તીર્થંકર છે, ચક્રવર્તીથીય સવાઈ ચક્રવર્તી છે ધર્મચક્રવર્તી છે.”
આ સાંભળી સહુ મહાવીરને વંદી રહ્યા. પુષ્ય સામુદ્રિકનું મન પણ શાંત
થયું.
સવાઈ ચવર્તીનાં પગલાં ૧૧૧
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org