________________
૨૨
સવાઈ ચક્રવર્તીનાં પગલાં
ગંગાના તટની રેતી પર બે પગલાંની હાર અંકાઈ ગઈ હતી. એક વિદ્વાન માણસ એ પગલાં જોતો જોતો- જોતો જોતો નહિ, પણ જાણે પૂજતો પૂજતો આગળ વધતો હતો. એની પાછળ કેટલાય અનુયાયીઓ હતા.
“અરે મહાગુરુ ! તમે રેતીમાં શું જુઓ છો ?'
ભાઈઓ ! હું આ રેતી પર પડેલાં પગલાંની પંક્તિ પારખું છું.” “એમાં શું પારખો છો ?'
આ પગલાં કોઈ ચક્રવર્તીનાં છે.” ચક્રવર્તીનાં પગલાં ?'
હા, એની રેખાઓ, એનાં ચિહ્નો એને ચક્રવર્તી બતાવે છે, પણ હાલમાં તે દુખિયારો જીવ લાગે છે.”
શા કારણે તમે એને દુઃખિયારો જાણ્યો ?'
ચક્રવર્તીની પાછળ તો ચતુરંગ સેના હોય. અને આ પગલાં તો કોઈ એકાકીનાં જ છે.”
તો ચાલો, આપણે એને મદદ કરવા જઈએ.”
“જરૂ૨. હું એ માટે પગલે પગલું મેળવી રહ્યો છું. આવા દુઃખિયારા ચક્રવર્તીની યત્કિંચિત્ પણ સેવા કરી હોય, તો ભવિષ્યમાં આપણને ઘણો લાભ મળે.”
૧૧૦ એ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org