________________
મોટું જ માંડી ન શક્યા. પશુવૈદ તેડાવ્યા, પણ કોઈની કંઈ કારી ન ચાલી.
શેઠ તો ખાવું-પીવું છોડી બળદ પાસે બેઠા. ઘડીમાં દેહ પર હાથ ફેરવે, ઘડીમાં કાનમાં ધર્મમંત્ર સંભળાવે. ઘડીમાં ખંજવાળ આવે તો પંપાળે. આમ શેઠની સામે જ બંને બળદ મૃત્યુ પામ્યા. મરીને એ બંને દેવ સરજાયા. એમણે સુદંષ્ટ્ર દેવને તોફાન જગાવતો જોયો, ને નાવમાં ભગવાન મહાવીરને જોયા એટલે એમને બધું યાદ આવ્યું. એમણે આવીને આ તોફાન શમાવ્યું.
લોકો બોલ્યા : “વાહ, વાહ ! દુનિયામાં કાર્ય-કારણનો ખરો સંબંધ છે. આપણે જે ઘટનાઓને અકસ્માતું માનીને વીસરી જઈએ છે, એ બધી પાછળ સ્વ-કર્મનો એક છૂપો તંતુ સંધાયેલો હોય છે. પાંદડું પણ નિમિત્ત વિના હાલતું ચાલતું નથી !'
બીજા બોલ્યા : “ભાઈ ! દુનિયામાં કોઈ માથું કાપનાર છે, તો કોઈક માથું ઉતારી આપનાર પણ છે. આવા સતિયાં પર તો આ સૃષ્ટિ નભે છે.'
આમ બોલતાં ઉતારુઓ પોતપોતાનાં સ્થાને જવા રવાના થયા.
સંસારનો કાર્ય-કારણ ભાવ % ૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org