________________
ગામમાં દર વર્ષે ભંડીરવણ યક્ષનો મેળો ભરાય. આ વખતે વાહનક્રીડાની શરત રમાય. જિનદાસ શેઠનો મિત્ર આ શરતમાં ભાગ લેવાનો હતો. એણે વિચાર્યું, કે મારા મિત્ર જિનદાસના બે બળદ રથે જોડું, તો મને કોઈ આંટી ન શકે. અને જ્યાં જિનદાસ જેવો, દોસ્તીમાં જીવ પણ આપવામાં આનાકાની ન કરે એવો મિત્ર હોય, ત્યાં કંઈ અડધા દિવસ માટે બળદ આપવાની એ કંઈ ના પાડે ?
એ મિત્રે તો જિનદાસને પૂછવાની પણ જરૂર ન જોઈ. બળદ લઈ જઈન રથે જોડડ્યા. શરતના મેદાનમાં આ બે બળદોએ કમાલ કરી. જિનદાસ શેઠને
ત્યાં આવ્યા પછી, બળદ કદી રથે જોડાયા નહોતા એટલે એમને તો અનભ્યાસે વિષવિદ્યા-જેવું થયું હતું. કોઈ વાર ઢીલા પડી જતા, પણ પેલો મિત્ર પરોણી ઘોંચતો કે લાકડી મારતો. અને પરોણીની આર અડી કે એમને પાંખો આવતી. શરતમાં એમને કોઈ આંબી ન શક્યું. આખરે શરત જીતીને પેલો મિત્ર પાછો આવ્યો. જિનદાસને શોધ્યા, પણ એ ઘેર નહોતા. ખીલે બળદ બાંધીને એ ચાલ્યો ગયો.
જિનદાસ સાંજે ઘેર આવ્યા. આવતાંની સાથે પોતાના પ્યારા બળદો પાસે ગયા, પણ તે વખતે તેઓની સ્થિતિ ભારે દયાજનક જોઈ. મોંમાંથી લોહી પડતું હતું. બેઠા હતા ત્યાંથી હલી-ચલી શકતા નહોતા. હતા તો મજબૂત, પણ રોજ ખીલે બાંધી રાખેલા હોવાથી કામ કરવાની કે દોડવાની તાકાત તૂટી ગઈ હતી. એમાં એકદમ ખૂબ દોડવાનું આવ્યું.
| જિનદાસને જોતાં જ બંને બળદ બેઠા હોય, તો ઊભા થઈ જતા, પણ આજે તેમનાંથી એ બની શક્યું નહિ. ઊભા થવા ગયા, તો લથડિયું ખાઈને નીચે પડ્યા. મોંમાંથી ફીણ નીકળી પડ્યાં. મોટી મોટી આંખોના ડોળા ફેરવતાં પોતાના સ્વામીને એ દયામણી રીતે નીરખી રહ્યા. જિનદાસ પાસે ગયા. જોયું તો આખા ડિલ પર પરોણાના સોળ ઊઠ્યા છે. ને પીઠની પાછળના ભાગમાં પરોણીની આર વારંવાર ભોંકાવાથી લોહી ટપકે છે.
શેઠે નોકરોને બોલાવ્યા. નોકરોએ બધી વાત કહી. એમણે કહ્યું : “અરેરે! દોસ્તીમાં મારો જીવ માગત તો જીવ આપત, પણ આ બે બળદ તો મને જીવથી પણ વધુ વહાલા છે,’ જિનદાસે પૌષ્ટિક ખોરાકના થાળ મગાવ્યાં, પણ બળદ
૧૦૮ ૮ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org