________________
મિત્ર સારથિએ આશ્વાસન આપ્યું, કે તને મારનાર કોઈ સામાન્ય માણસ નથી; એ તો ભાવિ ચક્રવર્તી છે. માટે શાંત થા! પછી એ શાંતિથી મર્યો. સિહ મરીને દેવ સરજાયો. આજે મહાવીરને જોયા, ને એને પોતાનું પૂર્વ વેર યાદ આવ્યું. એણે આ તોફાન જગાવ્યું. એનું નામ સુદંષ્ટ્ર નાગ !
નિમિત્તશાસ્ત્રી નેમિલ થોડી વાર થોભ્યો. એણે ચારે તરફ નજર કરી, તો મહાવીર ન મળે. એ તો આગળ ચાલ્યા ગયેલા.
“તોફાન જગાવનારને જાણ્યો. હવે તોફાન શમાવનારની વાત કહો !” પ્રવાસીઓએ કહ્યું.
“એ કથા પણ કહું છું. મથુરા નામે નગર છે. જિનદાસ નામે વેપારી છે. તેને સાધુદાસી નામની સ્ત્રી છે. બંને ધર્મિષ્ઠ છે; સંસારસાગરને તરવાનાં ઇચ્છુક છે.”
જિનદાસને ત્યાં એક ગોવાળણ દહીં-દૂધ આપવા આવે. દહીં-દૂધ ભારે ચોખ્ખાં લાવે. ગોવાળણ ભારે પ્રામાણિક. આ કારણે શેઠ-શેઠાણીના તેના પર ચાર હાથ.
એક વખત ગોવાળણને ત્યાં વિવાહ-પ્રસંગ આવ્યો. શેઠ-શેઠાણીએ ધન, ધાન્ય, કપડાં, ઘરેણાં વગેરે ખૂબ આપ્યું. ગોવાળણનો પ્રસંગ ભારે ઠાઠ-માઠથી ઊજવાયો. ભોળા દિલનાં એ લોકોના મનમાં થયું કે ખરે વખતે શેઠે આપણી આબરૂ વધારી, આપણે ગુણ માનીએ એટલો ઓછો !
ગોવાળણની પાસે બે સારા બળદ હતા. પેટના દીકરાની જેમ વહાલથી મોટા કર્યા હતા. નામ રાખ્યાં હતાં સંબલ અને કંબલ ! બંને જણા સંબલકંબલને લઈને શેઠને ઘેર બાંધી આવ્યાં. શેઠે ઘણી ના પાડી, પણ એ તો બાંધીને ચાલી નીકળ્યાં. કોઈ વાત ન માન્યાં.
| જિનદાસ શેઠે બંને બળદને પ્રેમથી પાળ્યા, આખો દિવસ સાથે ને સાથે. બળદ પણ એવા સંસ્કારી કે શેઠ વ્રત રાખે, શેઠ ઉપવાસ કરે, તો પોતે પણ ન ખાય. સ્વચ્છ જળ સિવાય બીજું જળ ન પીએ ! ફક્ત ખોળિયું પશુનું, પણ આચરણ માણસ જેવાં. શેઠ કદી એમને આંખથી અળગા ન કરે. ન રથે જોડે, ન ગાર્ડ ઘાલે.
સંસારનો કાર્ય-કારણ ભાવ # ૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org