________________
ઝટ ઘર તરફ દોડ્યાં. હજીય એમનું હૈયું ધડકતું હતું. કોઈ નમે કે ન નમે, મહાવીરના મનમાં તો બધું સરખું હતું.
ખેમિલ નિમિત્તશાસ્ત્રીએ સહુને ભેગા કરતાં કહ્યું : ‘તમને કોઈને આ તોફાન કેમ થયું ને આ તોફાન કેમ શક્યું, તેના કાર્ય-કારણ ભાવની કંઈ પડી નથી. તમે તો માન્યું કે વા વાયો ને તોફાન જાગ્યું; વા બંધ થયો ને તોફાન બંધ થયું, પણ એટલું યાદ રાખજો કે આ જગતમાં નિમિત્ત વિના એક પીંછું પણ આઘુંપાછું થતું નથી. આ તોફાન જગાવનાર એક દેવ હતો. પૂર્વભવમાં એ એક સિંહ હતો અને મહાવીર ક્ષત્રિયપુત્ર હતા. આ સિંહ જ્યાં રહેતો હતો, એની આસપાસનાં ગામનાં ગામ ઉજ્જડ થઈ ગયાં હતાં; રસ્તાઓ વેરાન થઈ ગયા હતા; ખેતરો ખેડ વિનાનાં પડ્યાં હતાં; નવાણ સૂનાં પડ્યાં હતાં. એ સિંહને કોઈ મારી શકતું નહીં. જે એને મારવા જતું તે કદી જીવતું પાછું ન આવતું.
એ વખતે પ્રજાપતિ નામના એક ખંડિયા રાજા હતા. એમને ત્રિપૃષ્ઠ નામે પુત્ર હતો. રાજા પ્રજાપતિને તેમના ઉપરી રાજા તરફથી સંદેશો આવ્યો, કે સિંહની ચોકી કરવાનો હવે તમારો વારો છે. ખબરદારીથી ચોકી કરજો.
આ વખતે રાજકુમાર ત્રિપૃષ્ઠ નાનો કિશોર. એણે હઠ લીધી, કે સિંહની ચોકીએ હું જઈશ. પિતાએ કહ્યું કે તું હજી નાનો બાળ છે ! તારું કામ નહિ !
ત્રિપૃષ્ઠે એ વખતે ગર્જીને કહ્યું : ‘નાનો બાળ છું, પણ સિંહબાળ છું. પરોપકારના કામમાં બાળક કે વૃદ્ધ ન જોવાય ! ગા વાળે તે ગોવાળ.’
ત્રિપૃષ્ઠ વનમાં ગયો. સિંહ એકલો બોડમાં બેઠો હતો. ત્રિપૃષ્ઠે કહ્યું કે એ નિઃશસ્ત્ર છે, ને એકલો છે. માટે મારે એકલાએ જ જવું જોઈએ ને વગર હથિયારે લડવું જોઈએ.
રાજકુમાર એકલો બોડમાં ગયો. સિંહને પડકાર્યો. બંને બથંબથ્થા આવ્યા, પણ ત્રિપૃષ્ઠ કોનું નામ ! એણે સિંહનાં બે જડબાં પકડી એને ઊભો ને ઊભો ચીરી નાખ્યો ! સિંહ ત્યાં ને ત્યાં મરણ પામ્યો.
સિંહને મારનાર ત્રિપૃષ્ઠ કુમારનો નવમો ભવ તે મહાવીરનો. સિંહ પણ સિંહ જ હતો. એને લાગ્યું કે અરેરે ! મરવાનો તો વાંધો નહિ, પણ એક નાના બાળકને હાથે મોત ! કેટલી લજ્જાની વાત ! આ વખતે ત્રિપૃષ્ઠ રાજકુમારના
Jain Education International
For Private & Personal Use Only
૧૦૬ ૯ ભગવાન મહાવીર
www.jainelibrary.org