________________
યુદ્ધ બંધ કરો. એ લોહીનાં છાંટણાં નથી ગમતાં. સંધિ કરો, આપણે લોહી રેડી સીમાડા વિસ્તારવા નથી.'
મને આ વાત ન ગમી, પણ પિતાની આજ્ઞા હતી. મનદુઃખ સાથે મોરચેથી પાછો આવ્યો. માતાએ આ વાત જાણી. એમણે મને ઉશ્કેર્યો ને પોતાની સાથે લીધો.
એક વાર હું ને માતા, પિતાનો જવાબ લેવા એમની પાસે ગયાં. માતા તો રોષમાં હતાં; એ બોલ્યાં :
‘વિલાસભવનો છાંડીને અહીં શું બેઠા છો ? આ બધું શા માટે ? કયા સુખ માટે ? શું તમને પણ કોઈ મુંડિયાએ ભરમાવ્યા છે ?'
‘ના, રાણી !' રાજાના શબ્દોમાં અપૂર્વ શાંતિ હતી, ‘મને અંધકારમાં પ્રકાશ લાધ્યો. ગઈ કાલ સુધી દાન, શીલ, તપ વગેરે ભાવનાઓમાં હું નહોતો માનતો; નરક, સ્વર્ગ, આત્મા કે પુણ્યપાપ નહોતો સ્વીકારતો, પણ આજે...’ ‘તો તમે મને કરી બતાવેલા પ્રયોગો ખોટા હતા ?' રાણીએ ટૂંકામાં પૂછવા
માંડ્યું.
‘હા રાણી ! એ માટે મારે તમારી માફી યાચવી રહી. સાચા ગુરુ વિના વાતનો મર્મ કોણ બતાવે ? એવા ગુરુ મને મળ્યા; ગુરુએ મર્મ બતાવી દીધા.’ ‘કેવી રીતે ?’ મેં વચ્ચે પૂછ્યું.
‘હું ધારતો હતો કે મારાં તપ-ત્યાગવાળાં દાદીમા સ્વર્ગે ગયાં હોય તો મને કહેવા કેમ ન આવ્યાં ? પણ ગુરુ કહે કે, મનુષ્યનો દેહ તો ગંદકીનો ગાડવો છે. દેવનો દેહ તેજરૂપી છે. પૃથ્વીની ગંદકી ૫૦૦ યોજન સુધી ફેલાય છે. એક વાર જે ગંદકીમાંથી નીકળ્યો, તે બીજી વાર ગંદકીમાં આવે ખરો ? કેટલાક દેવો આવે, પણ તેઓને ત્યાંનું સુખ બધું ભુલાવી દે છે ! આ તો દુનિયામાં હોય ત્યારે દુનિયાના ! વળી તારો અધાર્મિક દાદો નરકમાં ગયો હોય, તો પણ અહીં આવે શી રીતે ? આપણે કોઈ ભયંકર પાપીને પાંચ દિવસ પણ કેદમાંથી મુક્તિ આપીએ ખરા ?'
‘કેવી બાળકબુદ્ધિ જેવી વાતો !' માતાએ તિરસ્કાર પ્રગટ કરતાં કહ્યું,
ચાર યામ ક ૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.brg