________________
સમભાવ જ એવાનો હૃદયપલટો કરાવી શકશે.
મુનિએ મીઠી વાણીમાં કહ્યું : “રાજન ! આ વૃક્ષનાં પાંદડાં કોણ હલાવે છે ?' પવન ! આ ધૂળને આપણી તરફ કોણ ધકેલે છે ?' એ પણ પવનનાં તોફાન છે '
આવા અવળચંડા પવનને તું જોઈ શકે છે ?” મુનિએ મીઠાશથી બીજો પ્રશ્ન કર્યો.
“ના.”
“ભોળા રાજા, પવન તો રૂપ, રસ, ગંધ, સ્પર્શ ને શબ્દવાળો છે, છતાં આપણે એને જોઈ શકતા નથી, તો રૂપ-રસ-ગંધ ને સ્પર્શ વગરના આત્માને તું કઈ રીતે જોઈ શકે ?
રાજા આ અવનવી વાત સંભળી રહ્યો.
મુનિ બોલ્યા : “આત્મા આંખ યા ઇન્દ્રિયનો વિષય નથી. એના માટે તો કરેલા ભૌતિક પ્રયત્નો નિરર્થક છે, એના માટે તો આધ્યાત્મિક પ્રયોગની જરૂર છે. હું ક્યારથી પ્રયત્ન કરું છું, પણ હજી મૂળ સુધી પહોંચ્યો નથી.”
આમ મુનિરાજે મૂળની વાતો કહી. જોતજોતાંમાં મારા પિતાનું મન ફેરવાઈ ગયું. એ પ્રભુ પાર્શ્વનાથના ચાર ધામ – અહિંસા, સત્ય, અસ્તેય ને અપરિગ્રહમાં માનતા થયા. રાજા જે માને તે પ્રજા પણ સ્વીકારે. આખું રાજ પ્રભુ પાર્શ્વ અને તેમના ચાર યામમાં માનતું થયું. આમ બધા માનતા થયા, ત્યારે મારાં માતા સાફ ઇનકાર કરીને ઊભાં રહ્યાં. મારાં માતા–જેઓ મારા પિતાના કહેવાથી ભોગ-વિલાસમાં માનતાં થયાં હતાં, એ—હવે એમના અનેક વાર કહેવા છતાં, સમજાવવા છતાં, આત્મામાં માનતાં ન થયાં. માનવા ન માનવા જેવું પણ કંઈ નહોતું, પણ હવે આત્મા માને તો એમની સુખવિલાસની સૃષ્ટિ આખી ભૂંસાઈ જાય તેમ હતું !
માતા અને પિતાના સુખદ રાહમાં કાંટા ઊગ્યા.
હું એક વાર યુદ્ધને મોરચે હતો. યુદ્ધ બરાબર જામ્યું હતું. શત્રુ ઘેરાવાની તૈયારીમાં હતો. ત્યાં પિતાની આજ્ઞા આવી :
૯૮ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org