________________
‘તદ્દન નાખી દેવા જેવી વાતો !'
‘કેટલીક વાર બાળક જેવી નિર્દોષતા જ આપણા જેવા મિથ્યાભિમાની ને મિથ્યાજ્ઞાનીનાં ડૂબતાં વહાણ બચાવે છે. ગુરુએ કહ્યું કે પેલા ચોરને તેં કાપ્યો તોય જીવ ન જડ્યો. પણ શાણો થઈને એટલું કા ન સમજ્યો કે અરણીના વૃક્ષમાં અગ્નિ છે, પણ ચી૨વાથી કે કાપવાથી એ નથી જડતો. વળી બંધ મકાનમાં કરેલો અવાજ બહાર ઊભેલા આપણને સંભળાય છે ! જો રૂપી શબ્દ મકાન ભેદી બહાર આવી શકે તો જીવ તો અરૂપી છે; એનો પ્રવેશ ક્યાંય રૂંધાતો નથી. માટે સુકૃતમાં રસ રાખ, દુષ્કૃત્યનો ત્યાગ કર !
‘સુકૃત એટલે શું ?’
-
‘સારું કાર્ય — જેનાથી સંસાર સુખી થાય, આપણો આત્મા ઉન્નત થાય !' પોતાની વાત પૂરી કરતાં મારા પિતાએ કહ્યું : ‘રાણી, ટૂંકમાં એક સિદ્ધાંત કહું. જેમ આપણને કોઈ મારે તો આપણને ગમતું નથી, આપણને કોઈ ખરાબ શબ્દ કહે તે આપણને રુચતું નથી, તેમ સંસારના સર્વ જીવોને પણ અપ્રિય ગમતું નથી ને રુચતું નથી.’
‘શું સહુનાં જીવન આપણાં સરખાં ? પછી રાજા ને ટૂંકમાં ભેદ શો ? આપણે સુખી, સંપત્તિવાન એટલે આપણને જીવવું ગમે, પણ ગરીબને જીવવું કેમ ગમે ? એમના દુઃખિયારા જીવનને લંબાવીએ તો એમને ગમે ખરું ? આ પેલા ઘેટાના જીવનનો શો અર્થ ? એના દેહનું સુસ્વાદુ પકવાન્ન બને, એ જ એની સાર્થકતા નથી ? આ નોક૨, એનું સુખ આપણી સેવામાં ને એ દ્વારા એને મળતા સુવર્ણમાં. સર્વ જીવોને સમાન માનીએ તો સેવ્ય કોણ થશે અને સેવક કોણ રહેશે ? સંસારનો વ્યવહાર પછી તો ખોરવાઈ નહીં જાય ?' રાણી સૂર્યકાંતા - મારાં માતા - આટલું બોલી ચિડાઈને ચાલી નીકળ્યાં.
મેં પણ મસ્તક નમાવ્યું ને નિરાશ વદને માતાની પાછળ રવાના થયો. પિતા આત્મધ્યાનમાં મસ્ત બની ગયા.
વાત તો વધતી ગઈ. રાજાએ તો દાન, દયા, ક્ષમા ને તપમાં બધું વિસારે પાડી દીધું, જે મજા એમને ભોગમાં ન લીધી, તે આ યોગમાં મળવા લાગી. પળે પળે ઉશ્કેરાતું દિલ, સાગરસર ગંભીર બનતું ચાલ્યું. જે હીન, અધમ, હલકા
૧૦૦ ૨ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org