________________
હે મહાસંન્યાસી ! મારા રાજકુળનો વૃત્તાંત કહું. મારા પિતા અને પિતામહો જુદા ખ્યાલના મહાપુરુષો હતા. તેઓ આપ સર્વે જે વાત કહો છો તે નહોતા. માનતા. બલકે એનાથી ઊંધી માન્યતા ધરાવતા.
તેઓ કહેતા : “શરીરથી જુદો કોઈ આત્મા નથી. “મર્યા પછી મરનારનો જન્માંતર નથી.
પુણ્ય-પાપ છે નહિ. સુખદુઃખ વસ્તુ પર નિર્ભર છે. કાંટો વાગ્યો, ને દુઃખ થયું. સુંદર ભોજન જમ્યા, ને સુખ મળ્યું. સુખ એ સ્વર્ગ; દુઃખ એ નરક. આમાં કોઈ ત્રીજી વાતની વિચારણા શી ?'
મારા પિતા યુવાનીમાં ભારે શોખીન હતા. તેઓ એમની આ માન્યતાઓને કારણે તો આખો દિવસ રંગ-રાગમાં ડૂખ્યા રહેતા. વિચારવા યોગ્ય આત્મા, વિવેક કરવા યોગ્ય કર્મ-અકર્મ ને કર્મને યોગ્ય સ્વર્ગ-નરકની એમને કલ્પના નહોતી. તેઓ કહેતા, જીવન કેવું ટૂંકું, ને જગત કેટલું વિશાળ ! ભોગવવાની ચીજોનો કેટલો બધો સુકાળ ! ત્યાં વળી તપ-ત્યાગનું સ્થાન શું ?
આત્મા, જન્મ, સ્વર્ગ, નરક બધું આ દેહમાં. કાંટો નરક, સુંદરી, સ્વર્ગ, સુખ ઊપજે તે સુકૃત; દુઃખ ઊપજે તે દુષ્કત.
મારા પિતા પરણ્યા. મારી માતા જાજરમાન નારી હતાં. કંઈક પાપપુણ્યમાં સમજતાં હતાં. મારા પિતાએ એમને કહ્યું :
રાણી ! ખોટી વાતોના ચાળે ચડી જિંદગી બગાડશો મા. દાનમાં કંઈ નથી, દયામાં કંઈ નથી. ક્ષમા તો મને સમજાતી નથી. તપ તો ભૂખે મરવાનો ધંધો છે. લુચ્ચા લોકોની એ ચાલબાજી છે. તમે જાણતા નથી કે મારાં દાદીમા ભારે ધર્મિષ્ઠ હતાં. મારા દાદા મારા જેવા નાસ્તિક વિચારના હતા. મારાં દાદીમાં મરવા પડ્યાં ત્યારે મેં કહ્યું કે, તમે દયા, દાન ને તપત્યાગ ઘણાં કર્યા છે. સ્વર્ગમાં જાઓ તો મને ખબર આપવા આવજો, જેથી મને ખાતરી થાય કે, ના ના, તમારી વાત સાચી ! દાન-પુણ્ય કંઈક છે ખરું.”
રાણી ! એ રીતે મારા પિતા મરવા પડ્યા ત્યારે પણ મેં કહ્યું કે પિતાજી ! નરકમાં જાઓ કે બીજે જાઓ, પણ મને કહેવા આવજો. રાણી ! ન મારાં દાદી
ચાર યામ & ~
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org