________________
મને કંઈ કહેવા આવ્યાં, ને ન મારા દાદા આવ્યા !'
મારી માએ એ વખતે મારા પિતાને પૂછ્યું : ‘સ્વર્ગ-નરક ભલે ન હોય, પણ આત્મા જેવું તો કંઈ છે ને !'
મારા પિતાને પોતાની વાતનો ભારે ૨વ. તેઓએ બોલીને બતાવવા કરતાં, પ્રત્યક્ષ પ્રમાણથી ખાતરી કરાવવા માટે, તરત એક દેહાંતદંડ પામેલા ચોરને કારાગૃહમાંથી મગાવ્યો. એને શસ્ત્રવૈદ ચીરે એમ આડો ચીર્યો, ઊભો ચીર્યો; એની નસેનસ ખોલી નાખી, કહ્યું : ‘રાણી ! શોધી કાઢો આમાંથી આત્મા !'
એટલેથી સંતોષ ન પામતાં એક લોઢાની કોઠી મગાવી. એમાં એક ચોરને જીવતો પૂર્યો. કોઠીને એવી રીતે બંધ કરી, કે હવા પણ અંદર ન જઈ શકે. પછી જમીનમાં દાટી દીધી. થોડે દિવસે કોઠી બહાર કાઢીને ઉઘાડી, ચોર મરી ગયેલો, અને એના દેહમાં કીડા ખદબદે. મારા પિતાએ કહ્યું :
‘રાણી ! ચોરનો આત્મા ક્યાં ગયો, ને કીડાનો આત્મા ક્યાંથી આવ્યો ? માટે દેહ જ સાચી વસ્તુ છે. આત્મા જેવું કંઈ છે જ નહિ.'
મારી મા યુવાન હતી, અણસમજુ હતી, મોજશોખની ગુલામ હતી. મારા પિતાનાં વચન પર એને વિશ્વાસ બેસી ગયો. એ તો ભોગ-વિલાસમાં એવી ડૂબી ગઈ કે ન પૂછો વાત !
અંધારઘોર રાતમાંય માર્ગ સૂચવનારો શુક્રનો તારો ચમકતો હોય છે. મારા પિતાને ચિત્ત નામનો મંત્રી હતો. એ મિત્ર પણ હતો, ને સારથિ પણ હતો. મારા પિતાને ઘોડો ખેલવવાનો ખાસ શોખ હતો, ને ચિત્ત એમાં કુશળ હતો. એ કા૨ણે ચિત્ત સારથિ પર એમના ચાર હાથ હતા.
એક વખત ચિત્ત રાજકાજે બહારગામ ગયો. ત્યાં કેશી નામના મુનિ મળ્યા. એ ભગવાન પાર્શ્વનાથના સંપ્રદાયના હતા. કેશી મુનિએ ચિત્તને ખૂબ ઉપદેશ આપ્યો. ધર્મના ચાર યામ - અહિંસા, સત્ય, અસ્તેય ને અપરિગ્રહ- વિશે સમજાવ્યું. એમના પહેલાં ભગવાન નેમિનાથે આહાર-શુદ્ધિ દ્વારા અહિંસા કેવી રીતે સમજાવી, તે કહ્યું. એ પહેલાંના તીર્થંકરો વિશે પણ સમજાવ્યું. ચિત્તના મનમાં એ બધું બેસી ગયું. એ પાર્શ્વપ્રભુનો અનુયાયી બન્યો. ચિત્ત પોતે તો
૯૬ ૭ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org