________________
૨૦
ચાર યામ
કીર્તિ ને અપકીર્તિ હવા જેવાં ચંચળ છે. એની સુગંધ કે દુર્ગધને ફેલાતાં વાર લાગતી નથી. ચંડકૌશિકને પ્રતિબોધ આપ્યા પછી, મહાવીર જ્યાં જતા, એ પહેલાં એમની કીર્તિ ત્યાં પહોંચી જતી.
શ્વેતાંબી નગરીમાં એવું બન્યું કે ત્યાંના પ્રદેશ રાજાને તરતમાં જ ખબર પડી ગઈ, કે એક શાંત, દાંત, ત્યાગી, તપસ્વી, મહાયોગી એના નગર પાસેથી નીકળવાના છે. એણે વિચાર્યું કે જેટલો સમય રોકાય તેટલો સમય રોકીને, તેમનો લાભ લેવો. સત્સંગનું અપાર ફળ છે. પોતાના પિતાનો જન્મ પણ આવા એક મહાયોગીના સત્સંગના પ્રતાપે સાર્થક થયો હતો. પરિણામે એમનું જીવન એક ધર્મવાર્તાસમું બની ગયું હતું. આ માટે રાજાએ નગરપાલકોને એમના આગમનની ખબર રાખવા માટે ખડી ચોકીનો હુકમ કર્યો.
એક દિવસ નગરપાલકોએ તેજસ્વી આકૃતિવાળા ને સુમધુર ભાવવાળા મહાવીરને જોયા. જોતાંની સાથે તેમણે નક્કી કર્યું કે આ જ પેલા ભયંકર નાગને નાથનારા ચમત્કારી મહાયોગી !
તેઓએ રાજાને ખબર આપી. રાજા દોડતો આવ્યો, મહાવીરને ચરણે પડ્યો. એણે આત્મા વિશે કંઈ કહેવા કહ્યું, પણ મહાવીર તો પ્રાયઃ મૌન રહેતા.
રાજાએ કહ્યું : “મારી વાત સાંભળો, હે મહાગુરુ ! એ કથા પણ મારે માટે પુણ્યકર્મ જેવી છે. અમારા નાસ્તિક કુળના ઉદ્ધારની એ પુણ્યવાર્તા છે. રાજકુળને વિલાસી વાતાવરણમાંથી ઉદ્ધારવાના યત્નની એ કથા છે.'
૯૪ ૮ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org