________________
બેઘડીની મોજ માનતા નથી, દિલ બહેલાવનું સાધન લેખતાં નથી કે રોગી માનસની રોગમુક્તિ માનતા નથી. એને તો એ નર–નારનું સર્વશ્રેષ્ઠ સમર્પણ સમજે છે. સંસારના અમરત્વનું ઓધાન લેખે છે. સમર્પણ વારંવાર થતું નથી, એ તો તું જાણે છે ને !”
મધુમક્ષિકા બોલતી બોલતી થંભી. હંસ તો બિચારો શું બોલે ? એ વિનમ્ર બની સાંભળી રહ્યો.
મધુમક્ષિકાએ આગળ કહ્યું :
‘તમારે ત્યાં જેમ રણક્ષેત્રમાંથી કોઈ પીઠ ફેરવીને ભાગે એ કાયર લેખાય, ને એ કાયરનું કોઈ મોં ન જુવે, એમ અહીં આવા નિર્દોષ રસવિહારમાં કોઈ કામાચાર આચરી બેસે તો એ ભયંકર નિર્બળતા લેખાય છે, ને એ માટે અમારા રાજદરબારમાં ભારે સજા થાય છે જોકે એવો પ્રસંગ હજી અહીં બન્યો જ નથી. સ્વસ્થતા, સંયમ અને સામર્થ્યની શિક્ષા અહીં ગળથૂથીમાંથી જ અપાય છે. એટલે દીવાનાઓ, રોગીઓ ને વીર્યહીન પ્રજાજનો અહીં ભાગ્યે જ પેદા થાય છે. ને ક્વચિત્ થાય તો આ પથ્થરોના ઘાથી એનો અંત આણવામાં આવે છે.’
મધુમક્ષિકાએ આ વાત પૂરી કરી અને હંસને ખેંચ્યો. હંસ બિચારો અનિચ્છાએ પાછળ પાછળ ઘસડાયો.
૮૪ * ભરત-બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org