________________
૧૨
યુદ્ધ વિનાની ભૂમિ
બહલી દેશ અને તક્ષશિલા નગરી. એ વિદ્યા અને તપભરી સૃષ્ટિ હતી. અહીં પરંપરાથી જ્ઞાનની રક્ષા કરાતી હતી. પિતા પોતાની પરંપરા પુત્રને આપી જતો. પુત્ર એ પરંપરા પોતાના પુત્રને અશ્રુષ્ણ રીતે આપી જતો.
પરંપરા તોડવી એ મહાઅપરાધ લેખાતો. આ અપરાધ અપમૃત્યુ કરતાં ભારે લેખાતો. આ પરંપરાના બળથી વિદ્યા–સાધના–ની એક શાખા લુપ્ત થઈ નહોતી.
ત્યાં ફૂલબાગનો નિષ્ણાત હીરા-માણેકના કામમાં પડી પરંપરા ન ગુમાવતો. અલબત્ત, બંનેને એમાંથી પૂરતું મળી રહેતું. નાના-મોટાનો કોઈ પ્રશ્ન ન રહેતો. હલકા-ભારેનો સવાલ ઊભો ન થતો. પરંપરા બરાબર જાળવે એ સામાન્ય; એને ઉજાળ એ વિશિષ્ટ.
અહીં બીજું વાતાવરણ તપનું હતું. આ તપ મુનિઓએ માન્ય કરેલ તપ જેવું નહોતું. અન્ય સ્થળે મુનિઓ મૃત્યુને જીતવા તપ કરતા. આ નગરની ખૂબી જ એ હતી કે હજી સુધી આ નગરમાં કોઈ મૃત્યુ પામ્યું નહોતું !
માણસ મરી જાય, એમ લોક જાણતાં હતાં, પણ મરેલો માણસ કેવો હોય તે કોઈએ જોયો નહોતો. મરેલા માણસની સ્મશાનયાત્રા આ પ્રદેશના નિવાસીએ કોઈ દિવસ નીરખી નહોતી. અથવા સ્મશાનયાત્રા એટલે શું એ કોઈ જાણતું નહોતું.
આ નગરમાં પ્રત્યક્ષ રૂપે કોઈ માણસ મરતો જ નહિ ! માણસ જ્યારે વયોવૃદ્ધ થાય ત્યારે નહિ, પણ એનાં અંગોપાંગ નિર્બળ થઈ જાય, વનજંગલોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org