________________
જતાં એને શરદી-ગરમી લાગે, ખાવાનું પચે નહિ, સમવયસ્ક સાથે સ્વૈરવિહાર રુચે નહિ, આંખે ઓછું દેખાય, શ્રમ કરતાં શ્રમ લાગે ત્યારે, માણસ બધું તજવાનો સમય આવી પહોંચ્યો છે એમ સમજી જતો અને પ્રસ્થાનની તૈયારી કરતો.
એક દિવસ ઊગતી ઉષાનાં શુકન લઈને એ પ્રસ્થાન કરતો, અને દૂર દૂરનાં પહાડોમાં તપ કરવા ચાલ્યો જતો.
આ તપ શું, એની વ્યાખ્યા રાજદૂત હંસે ઘણાને પૂછી, પણ એ કોઈ જાણતું નહોતું. મેરુ પર્વત કે વૈતાઢ્ય પર્વતની દિશામાં એ નર-નાર ચાલી નીકળતાં. અને આ રીતે જે જ્યાં એ સદાને માટે જતાં – ફરી કદી દેખાતાં નહિ !
આ વિષે પૂરી માહિતી તો કોઈની પાસે નહોતી, પણ માહિતીવાળા કહેતા, કે તેઓ ત્યાં રમ્ય શિખરો પર રહેતાં. હમણાં ભગવાન ઋષભદેવે ધર્મનો વિચાર આપ્યો છે, એનો વિચાર કરતા, ને એક દિવસ લાંબી ઊંઘમાં પડી જતાં. એ ત્રણચાર દિવસ સુધી ઊઠતાં નહિ, એટલે એ દેહમાંથી એક ગંધ પ્રસરતી—દુર્ગંધ નહિ, સુગંધ નહિ, પણ માદક ગંધ.
આ ગંધથી ઊંચાં શિખરો પર રહેનાર ભારડ પક્ષી જાગતું; અને એ પોતાની વિશાળ પાંખો ફફડાવતું ત્યાં આવી પહોંચતું. સામાન્ય રીતે તો ભાખંડ પક્ષી હાથીઓનો જ ભક્ષ કરતું, પણ આવા નિશ્ચેતન માનવદેહો એને ખૂબ
ગમતા.
ભારડ પક્ષીની પાંખના સુસવાટા બારબાર યોજનથી હવામાં ઝંઝાવાત જગવતા. એ સાંભળીને હાથી બિચારા મોંમાં સૂંઢ નાખી કંદરાઓમાં લપાઈ તા; સિંહ-વાઘ શિયાળની જેમ ઝાડી કોતરમાં પગ વચ્ચે પૂંછડી નાખી અધમૃત્યુ જેવી દશામાં પડ્યાં રહેતાં.
આ પંખીને ત્યાંના રહેવાસી મૃત્યુ-દૂત કહેતા. એ આવીને ચિરનિદ્રામાં પોઢેલા માણસના દેહને ઉપાડી જતું.
આ તક્ષશિલાનગર-પ્રદેશનાં રહેનારાંઓએ આવી વાતો માત્ર સાંભળી હતી, પણ મૃત્યુ જોયું નહોતું. અકાલ મૃત્યુ હજી અહીં થયું નહોતું. એક માણસ બીજા માણસ સાથે ક્વચિત ઝઘડે, તો તેઓ સ્વયં મારામારી કે ખૂન પર ન આવતાં; તેઓ તરત રાજાજી પાસે જતાં જોકે રાજાજી પાસે જવા કરતાં, તપ માટે ચાલ્યા જવું તેઓ વધુ પસંદ કરતાં; કારણ કે માથે રાજા ૮૬ - ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org