________________
હોય અને ઝઘડા થાય, ખૂન થાય, એ ખુદ રાજા માટે શરમરૂપ લેખાતું ! સૂરજનો અવતા૨ જેમ પ્રકાશ માટે હોય છે, એમ રાજાનો જન્મ શાંતિ માટે હતો. શાંતિના બહાને અશાંતિ કે યુદ્ધ ઊભાં કરનારો રાજા ન લેખાતો !
પ્રત્યેક પ્રદેશની નીતિ અને ધર્મ વિષેની આગવી વ્યાખ્યાઓ હોય છે. આ પ્રદેશના વાસીઓની આ મનોદશા હતી, એટલે તેઓ ભરતદેવની નૃત્યગીતિ વગેરેની પ્રશંસા કરતાં; પણ ચક્રવર્તીપદ માટેનાં યુદ્ધોની જરા કડક શબ્દોમાં આલોચના પણ કરતાં.
વિદ્યા અને તપ પછી ત્રીજું વાતાવરણ અહીં સૌંદર્યનું હતું. પ્રથમનાં બે જરા એકાંગી હતાં, અલ્પ પ્રચારવાળાં હતાં, પણ સૌંદર્યજીવન તો પ્રજાના રોમેરોમમાં વ્યાપ્ત હતું !
સંસારમાં એક કાયદો છે કે ભૂખ જ્યાં પ્રવર્તતી હોય ત્યાં ખાઘઅખાદ્યનો વિવેક ભુલાય છે; ભૂખ્યા માણસ માટે એવો વિવેક દુષ્કર છે. પણ જ્યાં સામાન્ય રીતે ક્ષુધાતૃપ્તિનો પ્રશ્ન ન હોય ત્યાં માણસ સત્ત્વવાળા ભોજનને જ પસંદ કરે છે. એમ જે પ્રદેશમાં કદરૂપાં, કઢંગાં ને રોગી માણસો જ ન પેદા થતાં હોય, જ્યાં સૌંદર્ય એ હરેક જીવને માટે જન્મજાત ભેટ હોય, ત્યાં સૌંદર્યની વિડંબના થતી જ નથી !
તક્ષશિલાનગરપ્રદેશનાં નર-નાર માટે એમ કહેવાતું કે તેઓ નૃત્ય, આરોગ્ય ને દેહસૌંદર્ય માતાના પેટમાંથી જ લઈને જન્મતાં !
વળી આકર્ષણનો નિયમ એવો છે કે જેમ દૂરપણું એમ આકર્ષણ વધુ. સ્ત્રી પુરુષથી દૂર રહે, પુરુષ સ્ત્રીથી દૂર રહે, એટલે એકબીજાંમાં એકબીજાંની સ્વાભાવિક આકર્ષણક્ષુધા રહ્યા જ કરે.
અહીં નાનપણથી બાળક—બાલિકા સાથે રહેતાં, સાથે ભમતાં. એકબીજાંના વેણીગૂંથનમાં કે પાણિપીડનમાં કોઈને રોમાંચ ન થતો, હૃદયના ધબકારા વધી ન જતા.
સૌંદર્યને જોવાનો, પૂજવાનો હ૨એકનો અધિકાર હતો. અમુક સૌંદર્ય અમુક માણસ જ નીરખી શકે, અમુક નૃત્ય અમુક વર્ગ જ નીરખી શકે, એવી બંધિયાર હવા ત્યાં નહોતી.
જેમ દાનવીર પોતાના દાનનો સાર્વજનિક વિસ્તાર કરવામાં રાજી હોય, એમ અહીંનાં સૌંદર્યશાળી નર-નાર પોતાનાં રૂપભર્યાં નૃત્યો સમૂહ માટે ભેટ કરવામાં લહાવો સમજતાં.
યુદ્ધ વિનાની ભૂમિ * ૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org