________________
“કોણ એ ?? હંસથી જોરથી બોલાઈ ગયું.
કોઈ નહિ, હું મધુમક્ષિકા !” પેલી નવયૌવના હંસની નજીક આવતી બોલી, ‘સહુએ મને પાછી મોકલી છે. કહ્યું કે બિચારા પરદેશીને આમ એકલવાયો છોડવો ન ઘટે. જા, તું એને સાથ આપ !'
હંસ જરા સંકોચાયો. એણે કહ્યું : “અમારા દેશમાં આ રીતનો વ્યવહાર ઉચિત લેખાતો નથી. આ ગંધરાગ ભરી સૃષ્ટિમાં મને અવિવેકની દુર્ગંધ આવે છે.'
હંસે પોતાની ઉચ્ચતા અને આ લોકોની કનિષ્ઠતા બતાવવાનો પ્રસંગ ઝડપી લીધો.
દુર્ગધ ?” મધુમક્ષિકા ચિડાઈ બેઠી.
‘હા. સ્ત્રી-પુરુષોના આ સ્વૈરવિહાર....' હંસ અડધું બોલ્યો, ત્યાં તો મધુમક્ષિકા એને બોલતો અટકાવી બોલી :
‘રે પરદેશી ! તું અમને શું સમજે છે ? જ્યાં જીવનની ભારોભાર સુગંધ વ્યાપેલી છે, એને તું દુર્ગધ કહે છે ? એમાં મને તો તારા નાકનો ને તારા જીવનદર્શનનો જ દોષ લાગે છે ! તેં સ્ત્રીને હંમેશાં જુદી રીતે જ જોઈ છે. મિષ્ટાન્ન જોઈને જેમ મોંમાં પાણી આવે એમ, યુદ્ધમાં હૃદયની સુંદરતાને ભૂલી બેઠેલા તમને સ્ત્રી જોઈ બીજો ભાવ જાગતો નથી ! સારું છે કે તું પરદેશી છે, વળી રાજદૂત છે; નહિ તો કોઈ હાથીની પીઠ પર બેસાડી તને અહીંથી - હાલ ને હાલ તગડી મૂકત !'
મધુમક્ષિકા આવેશમાં ને આવેશમાં આટલું બોલી ગઈ. હંસનો પોતાના વચનનો ઘાનો આનંદ ક્ષણજીવી બન્યો, ક્ષણ વારમાં સરી ગયો, ને જાણે પોતે જ આહત થયો હોય તેમ એ ઓશિયાળો બની ગયો.
હંસનો કરમાયેલો ચહેરો જોઈ મધુમક્ષિકા શાંત થઈ ગઈ. એ આશ્વાસક મિષ્ટ સ્વરે બોલી :
આ પૃથ્વીનો તું અપરિચિત છે, રે પરદેશી ! એટલે તું તારા ગજથી અમને માપે એમાં તારો લગીરે દોષ નથી. પણ જાણી લે, કે અમારો રાજવી પોતે જ કામદેવનો અવતાર છે. જેમ એના દરબારમાં અમે ક્વચિત જ અનિવાર્ય પ્રસંગે જઈએ છીએ. એમ આ દેશનાં રસિયાં નર-નાર મળે છે. આનંદે છે, રસલહાણ લૂટે છે, પણ ક્વચિત જ કામ-દરબારમાં પ્રવેશે છે: અને જ્યારે પ્રવેશ કરે છે ત્યારે ગંભીર થઈને પ્રવેશે છે. એ આ પ્રવેશને
બહલી દેશમાં ૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org