SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ આંબાડાળે અકાળે મોર આવ્યો. કોકિલ ને કોકિલા પ્રેમાલાપ કરી રહ્યાં. સૂરજમુખી સૂરજ ભણી વધ્યાં. કમલિનીઓ કાસારમાં ડોકું ઊંચું કરી ભ્રમરને નિમંત્રી રહી. સહુનાં હૃદયમાં પ્રેમ-આકર્ષણ જાગી ગયું ! સામે જ એક પથ્થરનો પહાડ હતો. આ રાગના બળે એ પથ્થર હૃદય પહાડ પણ ઓગળવા લાગ્યો. એકાએક મિષ્ટજળનું ઝરણ વહી રહ્યું. એને ઓગળતો જોઈ પુરુષો બોલ્યા : અરે ! આપણા રાગ–આશ્લેષથી આ પથ્થરહૃદય પહાડ પીગળ્યો, પણ પથ્થરહૃદયા પ્રેયસીઓ ન પીગળી ! રે, કેવું કઠોર એમનું વક્ષસ્થળ !” સુંદરીવૃંદનું હૃદય પીગળી ચૂક્યું હતું, પણ એ દાક્ષિણ્યમાં સ્વસ્થ ઊભું હતું. પુરુષોના આ કટાક્ષથી સ્ત્રીઓ એકદમ આગળ આવી, ને પોતાને પરિચિત પુરુષના હસ્ત ગ્રહીને ગાતી, નૃત્ય કરતી વનસૃષ્ટિ ભણી ચાલી. પૃથ્વી પ્રેમભરી બની રહી. વિસંવાદ, વિખવાદ, વિકૃતિ જાણે ક્યાંય નહોતાં. સહુ સંવાદી જગતનાં સભ્ય બનીને રસ લૂંટી રહ્યાં. કોઈ ફૂલોથી છાયેલી ખીણમાં, કોઈ વનકંદરાઓમાં, કોઈ ઝરણાને કાંઠે, કોઈ આમ્રવૃક્ષની ડાળે જઈ બેઠાં. રસિયાઓની બંસીઓના નાદે ને સ્ત્રી-પુરુષોની મુક્ત હાસ્યગંધથી બધે જાણે સ્વર્ગ સરજાઈ ગયું. દુઃખ, સંતાપ, સ્પર્ધા, ઈર્ષ્યા જાણે અહીં હતાં જ નહિ, છે જ નહિ ! મનભર જીવવું ને દિલભર ખેલવું એ જ આ સૃષ્ટિનો નિત્યક્રમ છે. અહીં હાર્યાના થાક નથી, મૃત્યુના વિલાપ નથી. આમ્રવૃક્ષ પર આમ્ર આવે, એમ માણસ આવે છે; એવું જ આમ્ર-જીવન જીવે છે, ને એક દિવસ ખીલેલું ફૂલ કરમાઈ જાય, પાકેલું આમ્ર ગ૨ી પડે, એમ માણસ કોઈ સુંદર એકાંત સ્થળે જઈને સૂઈ જાય છે વનહાથીની જેમ ! જના૨ કોઈ રોતું નથી. રહેનારને રસની પડી છે. — અહીં સહુ રસમાં જીવે છે, એટલે એમને જરા સ્પર્શતી નથી, એમનો જીવનરસ કદી કુ૨સ થતો નથી, કદી સુકાતો નથી. હંસ સહુ રસિયાંઓને પોતાની નજરથી અળગાં થતાં જોઈ રહ્યો હતો, ત્યાં તો કોઈએ આવીને એનું કાંડું પકડ્યું. ૮૨ * ભરત–બાહુબલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy