________________
વાગતી સાંભળી. અને થોડી વારમાં તો આજુબાજુની કંદરાઓમાંથી બહાર આવીને, નિમંત્રેલા મહેમાનોની જેમ, નાગરાજો ડોલવા લાગ્યા ! . જેના શ્યામ કંઠમાં લીલું ઝેર છલોછલ ભરેલું છે, એવા સર્પરાજોને જોઈ હંસ એકદમ પાછો હઠ્યો; પણ પેલું સુંદરીવૃંદ તો એમનું એમ સ્થિર હતું. કોઈના નયનમાં ભય નહોતો. અભયને વરેલી આ સ્ત્રીઓને અબળાની ઉપમા કેમ આપી શકાય, એનો હંસ વિચાર કરી રહ્યો.
એક નાગ નૃત્ય કરતો કરતો હસ તરફ આગળ વધ્યો. હંસ ગભરાવા લાગ્યો, પણ સ્ત્રીઓની સમક્ષ પોતાના જેવા પુરુષત્વાભિમાનીની મશ્કરી થાય એ ઠીક નહિ, એમ વિચારી એ હિંમત ધરી રહ્યો. પણ નાગ તો મહુઅરના સૂરોના ઘેનમાં ધસ્યો આવતો હતો. - હંસના હૃદયનો વેગ વધી ગયો. એના શરીરે પ્રસ્વેદ વળી ગયો, પણ ત્યાં તો સૂરો પલટાયા. કોઈ દરિયાના તરંગો ભૂમિ પર પછડાતા હોય તેવો નાદ ગુંજી રહ્યો. આકાશમાં ગરુડરાજ આવીને ચક્કર લગાવી રહ્યા હોય તેમ લાગ્યું ને સર્પરાજો નાસીને એકદમ ઝાડીમાં ભરાઈ ગયા !
હંસે મુક્તિનો શ્વાસ ખેંચ્યો.
પેલી નવોઢા એકદમ આગળ આવી ને હંસનો હાથ પકડી એને આગળ ખેંચતી બોલી :
‘ઓ અયોધ્યાના વાસી ! ધન્ય છે તારા જડત્વને ! મનુષ્યોનાં મસ્તકોના છેદન સિવાય તમને બીજી કોઈ કળામાં રસ નથી, કાં ? ભરતનૃત્યનાં ગીતોનો આ એક પ્રકાર છે. પ્રથમ નાગવરાલિ રાગ અમે ગાયો, પછી ગરુડગાંધાર ગાયો !....'
હંસ પોતાનો હાથ છોડાવતો બોલ્યો : “અરે, અમે તો યુદ્ધમાં નિરર્થક સમય ગુમાવ્યો; કશીય જીવનવિદ્યા ન જાણી !'
‘હંસરાજ ! આજ કેવા પ્રકારનો સંદેશો લઈને દરબારમાં જાઓ છો? કહે છે, કે અયોધ્યાના લોકો લડવા-ઝઘડવામાં ભારે કુશળ છે ! વઢ, નહિ તો વઢવા દે, એવા મિજાજના છે ! જ્યાંથી ત્યાંથી લડવાનું નિમિત્ત શોધી કાઢે છે. જોજો, આ પ્રેમની ભૂમિ પર કલહનાં બી ન વાવતા !”
હંસે વિચાર્યું કે નિખાલસ દિલની આ કન્યા ખરેખર સાચું બોલી રહી છે. રે ! પ્રેમભરી આ સૃષ્ટિ પર ઉલ્કાપાતના સમાચાર લઈને હું આવું છું; પણ હું મનોમન પ્રતિજ્ઞા કરું છું કે બનશે ત્યાં સુધી ક્લેશને નિવારીશ. ૮૦ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org