________________
મદભર મોહનાને જોઈ તમારી આંખો જળના મીનની જેમ દોડાદોડી કરી રહે છે, એથી. અમારી સાથે વાત કરતાં તમારી જીભ સુકાય છે. તેથી. આ પ્રદેશના પુરુષને આવો અનુભવ અસ્વાભાવિક છે. વારુ, પરદેશી ! મારા પ્રથમ પ્રશ્નનો જવાબ આપો : ક્યાં જવું છે ? ક્યાંથી આવો છો ?”
હંસ આ સ્પષ્ટવક્તા છતાં કામણગારી નારની છટા પાસે પોતાની સૂધબૂધ ભૂલી રહ્યો હતો. આવી સુંદર સ્ત્રી અને આવો સરસ પ્રસંગ, એમાં સંયમનું પાલન એને અતિ કઠણ ભાસ્યું. અને એથીય એ નવયૌવનાનાં રૂપછટાભર્યા સંયમ-સામર્થ્ય અધિક કઠોર લાગ્યાં. જાણે પોતાની ફૂલડે ફોરેલી વસંત જેવી જુવાનીની એને કંઈ સુગંધ જ આવતી નહોતી ! કામબાણ જાણે એણે વેક્યાં જ નથી, અનુભવ્યાં જ નથી ! પુષ્પધન્વાની મહાશાળાથી જાણે એ સાવ અજાણ છે !
હંસે જરા વિનમ્રતાથી કહ્યું : “આવું છું પૃથ્વીપતિ ચક્રવર્તી મહારાજ ભરતદેવના દરબારમાંથી. સૂરજ સમા યશોધન ને તપોધન એ મહારાજ વિષે તો તમે પૂરેપૂરું જાણતા જ હશો ! આવું છું ત્યાંથી ને જાવું છે મહાબલી રાજા બાહુબલના દરબારમાં. હું રાજદૂત છું. મારું નામ હંસ.”
નવયૌવના ભરતદેવના દરબારની વાત સાંભળી બોલી : “ભરતદેવ તો અમારા રાજાના મોટાભાઈ ને ? સ્વાગતમ્ એ નૃત્ય-ગીતિના રચયિતા ભરતદેવ ને ! અરે, અમારા રાજા તો પોતાના વડીલ બંધુનાં વખાણ કરતાં થાતા જ નથી. વારુ, ઓ અયોધ્યાવાસી ! ત્યારે તમે ભરતનૃત્ય, ભરતગીતિ ને ભરતરાગ તો જાણતા જ હશો. ચાલો, ચાલો, સ્વાગતમ્ ! આજે દૂધમાં સાકર ભળી. તમારી ભૂમિની કળા તમે જેટલી જાણો, એટલી અમે શું જાણીએ ! તમારા દેશનાં નૃત્યગીતિનો આસ્વાદ અમને થોડોક કરાવો, પછી અમે તમને હાથના ફૂલહિંડોળે બેસાડી દરબારમાં પહોંચાડી દઈશું.
હંસ આ સાંભળી નિરાશ વદને બોલ્યો : “હે સુંદરી ! હું દૂત છું. નૃત્યશાસ્ત્ર કે ગીતિશાસ્ત્રથી સાવ અબૂઝ છું. મને તો સંધિ અને વિગ્રહની વાતો કરતાં આવડે છે. મને એ પણ ખબર નથી કે નિત્ય યુદ્ધ-વ્યાપારમાં વ્યસ્ત ભરત–બાહુબલી ક્યારે નૃત્યગીતશાસ્ત્ર નિપજાવ્યું !”
મધુમક્ષિકા આ સાંભળી ચિડાઈ ગઈ. એના દેશની કળા, અને એમાં એ પારંગત ન હોય, એ કેમ બને ? તેણે કહ્યું : ૭૮ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org