________________
નવયૌવનાના પરિચયે યુવાન રાજદૂત હંસનો પ્રસ્વેદ વધ્યો. સ્ત્રી વિષેની એની રૂઢ માન્યતા કમળપત્ર પર રહેલા તુષારબિંદુની જેમ સરી ગઈ; અને વજ્રથીયે કઠોર ને કુસુમથીય કોમળ વાળી કહેવત યાદ આવી ગઈ.
એકને જુવે અને એકને ભૂલે એવું ભુવનમોહન સૌંદર્ય ધરાવનાર આ સુંદરીવૃંદનું રૂપ કામીજનો માટે આકડે મધ જેવું સુલભ નહિ, પણ અસિધારા પર રહેલા મધુબિંદુ જેવું દુર્લભ લાગ્યું. એને નિરાંતે જોઈ શકાય, નિર્દોષ ભાવે સમીપ જઈ શકાય, મુક્ત કંઠે પ્રશંસી શકાય, હૈયાના હેતથી સ્પર્શ પણ કરી શકાય; પણ વ્યભિચારની આકાંક્ષાથી સ્પર્શની અનધિકાર ચેષ્ટા કરી કે હાથ જ કપાઈ જાય, હૈયું છેદાઈ જાય ! ભલભલા હિંમતબાજોની હિંમત ત્યાં બૂરી રીતે જખમી થઈ જાય !
સ્ત્રી-પુરુષ હોય ત્યાં સ્નેહ અને રસની સૃષ્ટિ સ્વયંભૂ જાગે. પણ અહીં વચનરાગ, દ્રષ્ટિરાગ, સ્નેહ૨ાગ, એ જ શૃંગારની સર્વશ્રેષ્ઠ ભૂમિકાઓ હતી. સ્ત્રી-પુરુષનો કામરાગ તો છેલ્લે આવતો. સંતાનોત્પત્તિની ગંભીર જવાબદારી ઉઠાવવા ઇચ્છનારાઓનું એ ગંભી૨ પગલું લેખાતું; અને એ નિર્ણય કર્યા પછી જ એ સ્ત્રી અને પુરુષ સાથે જોડાતાં, સાથે રહેતાં, જેને લગ્ન કહે છે તે લગ્ન કરતાં. પછી એકબીજાંનું દેહસૌંદર્યનું આકર્ષણ નષ્ટ થતું અને બાળક એ એમના રસનો મુખ્ય વિષય બની રહેતું. એટલે આ લગ્ન સંબંધ તરફ સ્ત્રી-પુરુષોનું સ્વાભાવિક ખેંચાણ ઓછું રહેતું અને આ કારણે લગ્ન પહેલાંનું ઊછળતા ઝરણ જેવું જીવન અને લગ્ન પછીનું ભરેલા તળાવ જેવું નિસ્યંદ જીવન અહીં જોવા ન મળતું.
આ રાજ કામદેવના અવતાર મહારાજ બાહુબલનું હતું. અહીંના મુખ્ય મંત્રો સ્વસ્થતા, સંયમ ને સામર્થ્ય હતા. નિસ્તેજતા, નિર્વીર્યતા ને સ્વચ્છંદ કામાચારવૃત્તિ મૃત્યુનું બીજું નામ હતું.
નવયૌવના, જેનું નામ મધુમક્ષિકા હતું, એ મધુરા ઓષ્ટથી મધુરું ગીત ગુંજતી આગળ આવી; ને પરદેશીને પ્રશ્ન પૂછી બેઠી :
‘હે ચતુર પરદેશી ! ક્યાં જવું છે ? ક્યાંથી આવો છો ? આ રસપ્રદેશના અજાણ લાગો છો ?'
“હું આ પ્રદેશથી અજાણ છું, એમ તમે કઈ રીતે જાણ્યું, હે રસિકે ?” હંસે પણ પોતાની વચનચાતુરી પ્રગટ કરવા માંડી.
તમારા અંગ પરની રોમરાજિ સુંદર સ્ત્રીને જોઈને ધ્રૂજી ઊઠે છે, એથી.
બહલી દેશમાં * ૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org