________________
હંસ બે ઘડી એ રૂપને નીરખી રહ્યો. શું બોલવું એ જ એને ન સૂઝ્યું ! પેલી નવયૌવના અંગોનાં ગતિડોલન કરતી બોલી : ભાઈ મારા ! તું કોઈ સોંદર્યનો રોગી હો તો આ સૌંદર્યદેશમાંથી જલદી ચાલ્યો જજે ! અમારા રાજા બાહુબલ જેટલા રસશાસ્ત્રમાં પ્રવીણ છે, એટલા જ શસ્ત્રવિદ્યામાં પણ નિપુણ છે. નિર્દેશભાવે આ સૃષ્ટિ ભોગવતાં આવડે તો જ અમારો અતિથિ
થજે !”
હંસે પોતાની જાત સંભાળી લીધી. એણે કહ્યું :
તમે મહારાજ ભરતદેવનાં અધિરાજ્ઞી સુભદ્રાદેવીને જોયાં નથી, ત્યાં સુધી જ તમને તમારા રૂપનું અભિમાન છે.'
અરે ભલા માણસ ! અહીં રૂપ છે, પણ અભિમાન નથી. આમ આવ ! જો, આ મારી સખી કુરંગી ! એ પોતાના કોમળ હસ્તથી પ્રિયંગુ વૃક્ષને સ્પર્શશે કે એ વંધ્ય વૃક્ષને ફળ-ફૂલ આવવા લાગશે ! સ્ત્રી તો સંસારમાં મધુર ફળ ને સુરંગી પુષ્પ માટે જ જન્મી છે ને !”
નવયોવના જરા આગળ વધી. એણે હંસનો હાથ પકડ્યો, જાણે ચાંદનીએ ઘેરા વાદળને પકડ્યું. હાથ પકડીને એને આગળ દોર્યો ને પોતાની સખીને બતાવતાં કહ્યું :
આ મારી સખી મૃગાક્ષી ! એ આ કુરબક વૃક્ષને ભેટશે કે એ નવપલ્લવિત થઈ ઊઠશે. અમારા રાજા કહે છે, કે સ્ત્રી તો સંસારને નવજીવન અર્પનાર આત્મા છે !
9
નવર્ષાવના આટલું કહેતાં હંસનો હાથ ખેંચીને આગળ વધી. જોબનયું એના દેહ ૫૨ ઝૂમી રહ્યું હતું. છતાં નાની બાલિકા જેટલી નિર્દોષતા એનામાં હતી.
અને આ મધુરિકા ! એના ઝાંઝરવાળા નૃત્યશીલ પગ આ અશોક વૃક્ષને જરા પાદપ્રહાર કરશે, એટલે એ ખીલી ઊઠશે. અમારા રાજા બાહુબલ કહે છે, કે સ્ત્રી જેમ પ્રેમમૂર્તિ છે, એમ શાસકમૂર્તિ પણ છે.’
હંસ અજબ રીતે હેરાન થઈ ગયો. એના શરીરે પ્રસ્વેદ વળી ગયો. જીભ સુકાવા લાગી. એ કંઈ બોલી ન શક્યો. એ વિચારી રહ્યો કે, અરે ! આ સ્ત્રીઓને પોતાના રાજાના નામની કેટલી મોહની છે ! એના પ્રત્યે કેટલો પ્રેમસ્વર એમના અંતરમાં ગુંજે છે ! વાતવાતમાં, અમારો રાજા બાહુબલ આમ કહે છે અને તેમ કહે છે, એમ કહેતાં એ થાકતાં જ નથી !
૭૬ ૨ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org