________________
૧૧
બહલી દેશમાં
બહલી નામનો દેશ છે. તક્ષશિલા નામે પાટનગરી છે. ભરત– બાહુબલીના ભાઈ રાજા બાહુબલ ત્યાં રાજ કરે છે. ભગવાન ઋષભદેવ જ્યારે રાજશાસન છોડી ધર્મશાસન માટે મહાભિનિષ્ક્રમણ કરી ગયા, ત્યારે એમણે આ રાજ્ય બાહુબલને આપ્યું હતું.
દૂતને રાજા બાહુબલના દરબારમાં ત્વરિત ગતિએ પહોંચવાનું છે; સ્વામીનો તાકીદનો સંદેશો પહોંચાડવાનો છે; કારણ કે એક કારણથી હજાર વાત અટકીને ઊભી છે. અને મોટામાં મોટી વાત તો દિગ્વિજય કરનારું ચક્રરત્ન નગરમાં પ્રવેશતું નથી, એ છે. એટલે તો મહાસામંતોએ હજી હથિયા૨ છોડ્યાં નથી.
એણે કદમ ઉઠાવ્યા, એ કદમમાં હરણનો વેગ હતો.
મનમાં કાર્ય પાર પાડવાનો પવનવેગ હતો.
દિલમાં અજંપાનો આરોવારો નહોતો.
જીવનની એક મહાન કર્તવ્યઘડીમાંથી એ પસાર થતો હતો. રે દૂત ! આજ તારી પરીક્ષા છે ! આજ તું પ્રેમ કે યુદ્ધનો નિમિત્ત બનવાનો છે ! તારું જીવન આજની સફળતા નિષ્ફળતા પર ધન્ય કે અધન્ય બનવાનું છે ! યુદ્ધના અભિશાપ પૃથ્વી પર ઊતરે, એ કોણ ઇચ્છે ? ને એમાંય બંધુબંધુમાં વિગ્રહ કરાવે એનાં પાપે નીર-નવાણ તો ઠીક, પણ ઘરના માટીના ગોળાનાં પાણી પણ સુકાય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org