________________
નૌકાની સેવિકા આશ્ચર્યથી નીરખી રહી.
સરયૂનાં જળ ઊંડાં હતાં. એમાં હાથી જળક્રીડા કરતા. એ જળમાં હાથીની સૂંઢ જેવી ભુજાઓથી ભરતદેવ માર્ગ કાપવા લાગ્યા.
થોડે દૂર રક્ત કમળના કેટલાક ડોડા તરતા હતા. ભરતદેવ એ તરફ આગળ વધ્યા. અરે ! શું સ્વામી પ્રિયાને શણગારવા રક્ત કમલ લેવા ગયા ? રક્ત કમલની જરૂરત હતી, તો સેવકસેવિકાઓનો ક્યાં તૂટો હતો ? પણ ના, ના એમને તો વિશિષ્ટ પ્રકારના રક્ત કમલની અપેક્ષા લાગે છે ! જુઓ, એ કમલવેલના ઝુંડ વચ્ચે આગળ વધ્યા. વાહ ! શું સુંદર દૃશ્ય !
ઉપરથી ચંદાની ચાંદની ઢોળાય.
નીચે સરયૂનાં રૂપેરી જળ વહ્યાં જાય !
એમાં માનવહસ્તી જેવા ભરતદેવ વિહરતા હોય !
આહ, સમજાઈ ગયું. થોડે દૂર એક અપૂર્વ સૌંદર્ય લઈને કમળફૂલ તરતું હતું. કેવું કમળફૂલ ! આ મનોહર સૃષ્ટિમાં એ ખરેખર અનુપમ હતું.
ભરતદેવ એ તરફ ધસી ગયા.
એ એને ગ્રહવા માગતા હતા, પણ ભારે આશ્ચર્ય થયું. કમળફૂલ જાણે ચક્રવર્તીથી શરમાઈને પોતાનું મુખ લઈને સરિતાનાં જળમાં છુપાઈ ગયું ! ભરતદેવ આજન્મ કુશળ યોદ્ધા હતા. પોતાનું ઇચ્છિત હાથથી બહાર તું જોઈ એમણે એકદમ ધસારો કર્યો.
કમળફૂલના નીચેનું મૂળ પકડવા તેમણે ડૂબકી ખાધી.
પણ ત્યાં તો કોઈ મોટું માંસલ મત્સ્ય હાથમાંથી સરી જાય, એમ કંઈક સરી ગયું ! એ સ્પર્શ પણ ચક્રવર્તીના દિલને ડોલાવી ગયો.
થોડે દૂર જઈને એ રક્ત કમલે ફરી પોતાનું પ્રદર્શન કર્યું. અરે ! ચંદાની ચાંદનીમાં જાણે એ હસી રહ્યું હતું !
ભરતદેવે ધીરેથી પાણીમાં ડૂબકી ખાધી. થોડી વાર જળ શાંત બનીને વહી રહ્યાં. ત્યાં અચાનક રક્ત કમલ કંપી ઊઠ્યું કોઈએ મૂળ સાથે તેને ઊંચક્યું હતું. શું હાથીએ કમળફૂલને ગ્રહ્યું ?
ના રે ! આ તો ૨ક્ત કમલ નથી, પટરાણી સુભદ્રાદેવી છે ! ને એને ઊંચકનાર પૃથ્વીના નાથ ભરતદેવ !
સરયૂના તટ પર, ચંદ્રની વેરાતી ચાંદનીમાં, એક અજબ દૃશ્ય દેખાયું. ૭૦ * ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org