________________
મસ્તક પરથી મુગટ કાઢીને અળગો કર્યો, હીરા ને સ્ફટિકની દામણીઓ તોડીને નૌકા પર ફેંકી દીધી !
ઉત્તરીય કે જેને શિથિલ રાખ્યું હતું, ને જેનો છેડો હવામાં ઊડ્યા કરતો હતો, એને દેહ સાથે ચપોચપ બાંધી લીધું. પગનાં ઝાંઝર ને હાથનાં કંકણ કાઢીને દૂર ફેંકી દીધાં.
પટરાણી પોતાના દેહની નવી સજાવટ તરફ નીરખી રહ્યાં : પોતાનું રૂપ જોઈ પોતાના મનને સંતોષ વળતો હોય તેમ એમને લાગ્યું.
રાત વીતતી ચાલી, પણ સ્વામી ન આવ્યા ! આ પ્રેમતરસી પ્રમદાને પોતાના પતિના માથે રહેલી રાજકાજની ધુરાના વહન તરફ સમભાવ ન જાગ્યો, બલ્કે કટુભાવ જન્મ્યો.
પટરાણી વિચારવા લાગ્યાં :
પ્રવાસમાં હતા, ત્યારે અનેક પ્રકારની કામગીરીને લીધે પ્રેમાલાપ કરવાનો સમય જ ન મળતો. પણ એ વખતે એક આશ્વાસન હતું કે પાટનગરમાં પહોંચીશું, પછી સમય, સમય ને સમય જ છે ને ! પણ અહીં તો પહેલે કોળિયે મક્ષિકા દેખાણી ! સવારથી અત્યાર સુધી રાજકાજની માથાકૂટ વગર કંઈ જ નહિ ! પુરુષોને આ શું ઘેલું લાગ્યું છે !'
પટરાણીને આ વખતે સ્વાભાવિક રીતે પોતાનું પૂર્વજીવન યાદ આવ્યું : પોતાના પિતા વિનમિરાજ અને કાકા મિરાજ; વૈતાઢ્ય પ્રદેશના રાજવી. અરે ! હું પણ એ જ પર્વતનું પંખી ! ત્યાં ભરતદેવ આવ્યા. બસ, બળવાન માણસ આવ્યો એટલે ઝઘડો સાથે લાવ્યો જ છે.'
મારા પિતા ને ભરતદેવની લડાઈ બાર વર્ષ સુધી ચાલી. મારા પિતા હારવાની તક પર આવ્યા, એટલે મને ભરતદેવને આપી. મને અર્પણ કરતાં કહ્યું કે એક તરફ ચક્રવર્તીનું આખું રાજ અને બીજી તરફ મા૨ી સુભદ્રા– સરખાં ઊતરે. સંસારમાં કોઈએ ન કર્યું હોય એવું અર્પણ હું કરું છું !
રે રાજકાજ ! એ તો સારું હતું કે, ભરતદેવ ૫૨ હું મનથી મોહ પામી હતી, પણ બીજી કોઈક ઝઘડાખોર માનુની હોત તો...ભરતદેવને લગ્ન કરીને શું સુખ મળત ? એને પરણનાર નારીને પણ શું સુખ મળત ? આ એવી જ વાત ભરતદેવ પોતાના બંધુઓ સાથે આદરી ન બેસે, તો સારું ! યોગીને જેમ તપ પ્યારું, એમ બળવાનને ઝઘડો પ્યારો : વાતવાતમાં હાથ તલવાર પર જાય. સંસારમાં પુરુષનો અંકુશ સ્ત્રી ! ભરતદેવને યુદ્ધના મેદાનથી હું
અનુપમ કમળફૂલ * ૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org