________________
એ પગલાંમાં કંઈક ભાર હતો.
રે ! એક પટરાણી કરતાં આ પંખી-યુગલ સુખી છે રાજકાજમાં પડેલા આ પુરુષોને ધીરે ધીરે બધા રસ અપરસ થઈ જાય છે, ને શેષ રહે છે માત્ર યુદ્ધરસ ”
પટરાણી મનોમન વિચાર કરી રહ્યાં. નૌકા પરથી એમની નજર અયોધ્યા ઉપર જઈ પડી.
અયોધ્યાની ઊંચી હવેલીઓના આકાશદીપ હજી જલતા હતા. દરેક પ્રજાજનના ઘરઆંગણામાં રહેલો પ્રદીપ્ત અગ્નિ હજી પ્રદીપ્ત જ હતો. ક્યાંક એ અગ્નિની આજુબાજુ સ્ત્રીપુરુષો ટોળે વળી ગાતાં હતાં; ક્યાંય સરખી સાહેલીઓ ગીત ગુંજતી હતી. કોઈ સ્થળે અગ્નિવેદી પાસે કુટુંબમેળો કરીને સ્ત્રીપુરુષો બેઠાં હતાં.
રે, જગતમાં સહુને સાથી, હું જ માત્ર એકલવાયી ! પટરાણી બોલ્યાં, ને જાણે પોતાનો નિર્ણય પ્રગટ કરતાં હોય તેમ મનમાં ગણગણ્યાં :
દિવસનો રાજા પુરુષ ! રાતનો અધિકાર સ્ત્રીનો !”
સરયૂનાં નિર્મળ જળે જાણે પડઘો પાડ્યો. પટરાણીની વિચારધારા આગળ વધી.
દિવસે પુરુષ જે રમતો રમવી હોય તે રમે, જે યુદ્ધો ખેલવાં હોય એ ખેલે, જે ષયંત્રો રચવાં હોય એ રચે, રાત પડી કે, પુરુષે પોતાની બાજી સમેટી લેવાની.
રાત પર તો રાતના જેવા શાંત સ્વભાવવાળી સ્ત્રીનો અધિકાર ! ચક્રવર્તી પોતે કાં ન હોય ! એ પણ ત્યારે તો પોતાનો રાજમુગટ અળગો કરી, સત્તાના પ્રપંચો દૂર કરી માત્ર સ્ત્રીને વશવર્તી બની રહે. સ્ત્રી કરે એ થાય. સ્ત્રીની જ આજ્ઞા ચાલે.'
આ રાત-દિવસની સત્તાના વિચારે પટરાણીને ઉત્તેજિત કર્યા. તેઓએ વિચાર્યું કે ભારતદેવ આવે એટલે આ વાત કબૂલ કરાવ્યે જ છૂટકો. કબૂલ ન કરે તો રિસાવું !
અને પોતાની રીસનો પતિ પર પ્રભાવ પડે, એ માટે સ્ત્રીએ શૃંગારનો ઝબૂક દીવડો જલાવવો જોઈએ ! રૂપ એ સ્ત્રીનું બળ. એ બળનો સદુપયોગ પણ થાય, દુરુપયોગ પણ થાય. મહારાણીએ ક્ષણ વાર મન સાથે પરામર્શ કર્યો; ક્ષણ વારમાં નિર્ણય કર્યો. પોતે પૂર્ણ સજ્જ થઈને આવ્યાં હતાં, એમાં ત્વરિત પરિવર્તન આદર્યું. ૬૬ ભરત-બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org