________________
સરસ કહ્યું ! હંસ ! મહાઅમાત્ય કહેવાનું બરાબર કહે છે. સહુ સહુની ભાષા છે. સુંવાળી રેતીમાં કોઈ કાંકરો હોય તો વીણી લેવાનું તને વિવેકચક્ષુને સમજાવવું નહિ પડે.’ ભરતદેવે કહ્યું. મહામાત્યની લડાયક ભાષા તેમને રુચિ નહોતી.
‘હંસ ! છેલ્લે છેલ્લે કહી દેવાનું કે કાં આધીનતા, કાં યુદ્ધ આ બે સિવાય ત્રીજો માર્ગ નથી. ગોળ ગોળ કોઈ વાત ન રાખીશ.' મહાઅમાત્ય હવે અકળાઈ ગયા હતા.
ગોળ ગોળ કોઈ વાત ન રાખીશ,’ ભરતદેવે મહાઅમાત્યના શબ્દોને બેવડતાં કહ્યું : ‘વાતના પ્રકાર બે છે, કાં તો ગોળથી સાધ્ય સિદ્ધ કરવું, કાં ઝેરથી ! હંસ ! બાહુબલ મારો નાનો ભાઈ છે. જરા લાડકો છે, તીખો પણ છે. કદી ઉછાંછળો થાય તો કહેજે કે મોટાભાઈને નમતાં તારું છોગું ઊતરી નહિ જાય. ને ઊતરી જશે તો હું સામે પગલે આવીને ચઢાવી દઈશ !’ મહાઅમાત્યે વિદાયનો સંદેશ આપતાં કહ્યું :
‘હંસ ! ઢાલ અને તલવાર બાંધીને જજે. જો રાજા બાહુબલ અધીનતા સ્વીકારી લે તો ઢાલ આપતો આવજે; ન સ્વીકારે તો ખુલ્લી તલવાર મૂકીને પાછો વળી જજે. કહેજે કે સાબદા રહેજો. ચક્રવર્તીના રણદુંદુભિના ઘોષ સાંભળવા કાન ખુલ્લા રાખજો !'
બરાબર છે.’ ચક્રવર્તી ગમતું ન હોય છતાં ગમતું કરતા હોય એમ બોલ્યા ને ઊઠ્યા : ચાલો, તો રાણીજી સરયૂતીરે મારી રાહ જોતાં હશે, જાઉ. હંસ ! જલદી શુભ સંદેશ સાથે પાછો વળજે !’ હંસ વિદાય થયો. બધા સ્વસ્થાને ગયા.
૬૪ ઃ ભરત-બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org