________________
આપણી વાત સ્પષ્ટ તો કરવી જ પડશે ને ! એ કથિતવ્ય કેવું હશે ?” રાજદૂત હંસને પણ ચક્રવર્તીની આ દીર્ઘસૂત્રિતા ગમતી ન હોય તેમ લાગ્યું.
અને કહેજે, ચાલો અયોધ્યા ! અભિષેકની રાજસભામાં નથી આવવું ? મોટાભાઈને ત્યાં આવો મહોત્સવ હોય ને નાનોભાઈ ન આવે ? સહુ ૨મે, જમે ને આનંદ કરે; ને નાનોભાઈ ઘેર બેસી રહે, એ મોટાભાઈને કેવું લાગે ? ને હંસ ! તું આટલું કહીશ કે ચડપ લઈને એ ચાલવા તૈયાર થશે ! હું જાણું છું, એ તેજી ઘોડો છે.’
મહારાજ આપ આજે વાતની પકડ કેમ ખોઈ રહ્યા છે ? આપને જ્ઞાન છે કે અભિષેકની રાજસભાના સમાચાર તો અમે ત્રણ ત્રણ વાર મોકલ્યા, પણ જવાબ પણ વાળવો કેવો ? મહાઅમાત્યે કહ્યું.
જવાબ આપ્યા વગર તો ન ૨હે.’ ભરતદેવે બચાવ કરતાં કહ્યું, ‘એવો એ સાવ અવિનયી તો નથી !”
જવાબ આપ્યો, પણ ન આપ્યા જેવો. બધું સાંભળીને બોલ્યા, વારુ દૂત ! ઉચિત હશે તે જરૂર થશે.’ બસ, પછી આવવા કે જવાની વાત કેવી !’ રાજદૂત હંસે સ્વાનુભવ કહ્યો, ને વધુમાં પૂછ્યું :
આ બધી સૂચનાઓ સાથે મહારાજ એ સૂચના પણ આપે કે આટલા વિનય-વ્યવહાર પછી પણ જો. જવાબ રુક્ષતાભર્યો મળે તો મારે પછી ચોખ્ખા શબ્દોમાં ચોખ્ખચોખ્ખું કહેવું કે નહિ ?”
જરૂર કહેવું.’ ભરતદેવે કહ્યું.
‘શું કહેવું ?” હંસે પૂછ્યું.
જે કહેવાનું છે, તે બરાબર ગોઠવીને કહેવું. મંત્રીરાજ તને એ સમજાવશે.’ ભરતદેવે માથેથી ભાર કાઢી નાખ્યો. એમને એ વાત કરવી પણ રુચતી નહોતી.
ઠીક, મને પણ આપે ઠીક સકંજામાં લીધો ! પણ તેની ચિંતા નહિ. અપ્રિય થવાનું કામ અમાત્યનું જ છે. હંસ ! આટઆટલો આગ્રહ, અનુનય– વિનય પણ નિષ્ફળ જાય તો, તારે બાહુબલ રાજાને કહી દેવું કે આપ ભલે ચક્રવર્તી મહારાજના સ્વજન હો, આપના પર તેમનો ભલે નિરવધિ પ્રેમ હોય, પણ રાજતંત્રની સુવ્યવસ્થા માટે અભિષેકની રાજસભામાં આવવું ને અધીનતા સ્વીકારવી આપને માટે અનિવાર્ય છે. ભરતખંડમાં રાજા ભલે અનેક રહે, સુખે રહે, પણ રાજેશ્વર તો એક જ રહેશે ને તે ભરત--બાહુબલી !” વ્યક્તિ અને સમષ્ટિ * ૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org