________________
છે, પછી પોતનપુરનો રાજા છે. પહેલાં હું ભાઈને ઉદ્દેશી કુશળવર્તમાન પુછાવું છું. હંસ, પૂછજે કે સ્વાથ્ય તો સુંદર છે ને ? પરિજન ને સ્વજનો સંતુષ્ટ છે ને ? રાજમાં રાજશત્રુ તો વધ્યા નથી ને ? પ્રજાને પૂરતું રક્ષણ ને પૂરતો ન્યાય તો મળે છે ને ?
હંસ સાંભળી રહ્યો, ને જાણે ચક્રવર્તીની સૂચના લક્ષમાં લઈ રહ્યો હોય તેવો ભાવ દર્શાવી રહ્યો. પણ મહાઅમાત્યને હવે ધીરજ નહોતી. એમને મનમાં ભારે આશ્ચર્ય જાગ્યું હતું : ભરતદેવ અત્યારે કોઈ દિવસ ન બતાવેલું મનઃશૈથિલ્ય દર્શાવી રહ્યા હતા. એમણે કહ્યું,
હવે મુખ્ય વાત પર આવો, મહારાજ ! રણમાં જેનું તીર કદી લક્ષ્ય ચૂકતું નહિ, એ વિશ્વમહારથીની વાણ આજે કેમ લક્ષ્ય ચૂકે છે ?”
‘હંસ ! આટલી વાત તું સ્નેહાન્દ્ર સ્વરે કરજે,” એટલું કહીને ચક્રવર્તી જરા સ્વસ્થ થયા, ટટાર બેઠા ને બોલ્યા :
અને પછી પણ નિરર્થક કઠોર ન બનીશ. આપણા વિજયોની વાત કરજે. સંસારમાં આપણે સ્થાપેલા એકચક્રી રાજની વાત કરજે. તમારા મોટા બંધુની આજ્ઞા આકાશ-પાતાળ ને ચાર દિશા ને ચાર વિદિશામાં પ્રસરી છે, એ કહેજે. ચક્રવર્તીએ પોતાના કઠોર શાસનથી સંસારમાં સબલ નિર્બળને ખાય એવો મસ્ય–ગલાગલ ન્યાય કેવી રીતે દૂર કર્યો, એ સુંદર છણાવટ સાથે કહેજે. સમજ્યો ને ?” ભરતદેવ કોઈ છાત્રને ચીપી ચીપીને પાઠ આપતા હોય તેમ બોલ્યા.
હિંસે હકારમાં ડોકું ધુણાવ્યું. ચક્રવર્તી આગળ બોલ્યા :
સંસારના પ્રત્યેક રાજાએ અને લોકનાયકે ભરતદેવની આજ્ઞાધીનતામાં ગર્વભંગ નહિ, પણ ગૌરવ જોયું છે, એ સમજાવજે ! એવી વાણી, એવો શબ્દવિન્યાસ વાપરજે કે મારો ભાઈ નાચી ઊઠે. વળી કહેજે કે ચક્રવર્તીને યોગ્ય સ્ત્રીરત્ન પણ મળી ગયું છે. એનું નામ સુભદ્રા. એ ગજવત્સને ગોવત્સની જેમ રમાડે છે, હીરાને ચપટીમાં ચોળી ચૂર્ણ કરી નાખે છે.” ભરતદેવ થોભ્યા.
મહારાજ દૂતવિદ્યા માટે મને નહિ કહેવું પડે. આપ જે કહો છો, તે રીતે જ વાત કરવાનો મેં વિચાર કરી રાખ્યો છે. ગોળથી કામ સરતું હોય તો ઝેરનો પ્રયોગ દૂતની અણઆવડત લેખાય. પણ છેવટે આપણે ૬૨ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org