________________
આટોપી ત્યાં જઈને તેમને મળો. તેઓની એવી ચાહના છે કે મહાઅમાત્ય ને સેનાપતિની હાજરીમાં ચક્રવર્તીના કામકાજનું સમયવાર વિભાજન કરવામાં આવે : અમુક નિયત સમય રાજકાજને માટે, અમુક સમય નિત્યકર્મને માટે અને અમુક આનંદપ્રમોદને માટે રાખે. અને નિયત સમયે જ નિયત કામ થાય; નહિ તો રાજકાજ તો ભૂતના પગ જેવું છે : જેટલા ઊંચકવા મથો, એટલા લાંબા થતા જાય !'
ભરત–બાહુબલી આ સાંભળી મલકી રહ્યા, થોડી વારે બોલ્યા, મહાઅમાત્યજી ! જોયું ને, ચક્રવર્તી જગત પર શાસન કરે, ને ચક્રવર્તી પર અન્ય કોઈનું શાસન ચાલે. ઘણી વાર એમ લાગે છે કે, રેશમના કીડાની જેમ, હું પણ મારી આસપાસ મારે હાથે જ બંધનો તો બાંધી રહ્યો નથી ને ?” હવે આત્મપરામર્શની પદ્ધતિ મહારાજ છોડે તો સારું. લઘુતા લઈએ તો પહાડ પણ કંકર લાગે. અમે જાણીએ છીએ, કે આપનું બંધુવત્સલ હૃદય વ્યાકુળ બની બેઠું છે. ને એ જ બંધુતા આપને આ બોલાવે છે. દૂતને સૂચના આપી રવાના કરો, એટલે આજની વાતનો છેડો આવે, ને...' મહાઅમાત્ય બોલતા થોભ્યા.
‘હંસ ! તું વિવેકચક્ષુ છે. બાહુબલને તો તું જાણે છે : અમુક વાતમાં જરા તીખો છે; બાંધછોડમાં ઓછો માને છે. તું પ્રથમ તેને મળે ત્યારે પહેલાં મારા આશીર્વાદ કહેજે ! હું આનંદમાં છું, ને તમારા બધાની કુશળતા પૂછી છે, એમ કહેજે. સમજ્યો ?” ચક્રવર્તીના શબ્દોમાં ભીનાશ હતી.
જી હા.’ હંસ બોલ્યો, ‘પછી ?....’
પછી કહેજે, ઘણા વખતથી તને નીરખ્યો નથી, ઘણા વખતથી સાથે રમ્યા નથી, તે અમને ભૂલી તો ગયો નથી ને ? એક વાર અયોધ્યા આવવાનું કહેવરાવ્યું છે !' ભરતદેવ આટલું બોલી થોડી વાર થોભ્યા.
પણ મહારાજ ! આવાં ટાયલાં કરવા; એ કમજોર રાજનીતિ છે ! ભલા, આ પ્રસ્તાવના બાંધ્યા પછી મૂળ વક્તવ્ય ક્યારે કહેવાનું ?”
સેનાપતિ સુષેણના લડાયક મિજાજને ચક્રવર્તીની આ દીર્ધસૂત્રિતા ન રુચિ. એણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. આવા સ્પષ્ટ વક્તવ્યનો એને જન્મસિદ્ધ અધિકાર મળેલો હતો. ચક્રવર્તી અંગત પરિજનો સાથે શિષ્ટાચારનો પડદો
ન રાખતા.
અરે સુષેણ ! પણ એટલી ઉતાવળ શી છે ? પહેલો એ મારો લઘુબંધુ
વ્યક્તિ અને સમષ્ટિ * ૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org