________________
આવ્યો છે ! પ્રભુ ! સાચું કહું છું, આ શસ્ત્રો હવે વેઠવાં ગમતાં નથી. દિલને અને દેહને શ્રમ અકળાવી રહ્યો છે; પણ એ તો અંગત સુખદુઃખ થયાં. એક સામ્રાજ્યને વહન કરનારનો મિજાજ ત્યાં જુદો હોવો ઘટે. જે સામ્રાજ્યનો સ્વામી થયો એનું અંગત ચાલ્યું ગયું !' મહાસેનાપતિએ પોતાની વાત પૂરી
કરી.
અરે ! પિતાજીએ પ્રથમ વ્યક્તિ ઘડી, પછી સમાજ રચ્યો, પછી સમાજની સુરક્ષા માટે રાજ સ્થાપ્યું; ને છેવટે એ રાજને ધર્મ પર ન્યોછાવર કરી દીધું. એમણે એમ બતાવ્યું કે ધર્મ પ્રથમ છે, રાજ પછી છે. મને એમ લાગ્યું કે રાજ પહેલું છે, ધર્મ પછી છે. રાજ મજબૂત હોય, સુશૃંખલ હોય, સુવ્યવસ્થિત હોય, તો વ્યક્તિ, સમાજ ને ધર્મ ત્રણે ખીલે છે; પણ રાજ ઢીલું હોય તો ત્રણે વસ્તુ વણસે છે : પશુમાંથી માણસ થયેલો ફરીથી પશુતામાં પ્રવેશે છે. માણસને માણસ રાખનારા એ રાજને મેં મહારાજ્ય કર્યું; એને માટે દિવિજય સાધી ચક્રવર્તીપદ પ્રાપ્ત કર્યું ; આખી પૃથ્વીને એક તંતુએ બાંધી. પિતાજી પ્રેમ પર રાજ ચલાવવા ઇચ્છતા, પણ ઘણી વાર પ્રેમ નિર્બળ તંતુ નીવડ્યો; અને મેં ભય ૫ર સામ્રાજ્યની અતૂટ દીવાલ ખડી કરી !'
ચક્રવર્તી ફરીવાર વિચારણામાં ઊતરી ગયા. બંધુ પ્રત્યેનું મમતાવાન હૃદય ગમે તેમ કરી પરિસ્થિતિ ભૂલવા માગતું હતું.
સ્વામી ! પ્રેમ અને ભય, બેમાંથી રાજ્યની સુખ-શાન્તિ માટે શું જરૂરી, એની નિર્ણાયક ઘડી નજર સામે આવીને ખડી થઈ છે. જોઈએ, પ્રેમ જીતે છે કે ભય ?” મહાઅમાત્યે વાતનો દોર મૂળ વાતની નજીક આણતાં કહ્યું. સુંદર ! સુંદર ! આપણે રાજદૂત હંસને એ વિષે ખાસ સૂચના આપીશું. જોકે એ તો વિવેકચક્ષુ છે; છતાં કહેવા પૂરતું પણ કહી દઈએ.' ચક્રવર્તી જાણે પોતાના જિગરના ઘાવને પોતે મલમપટ્ટી કરતા હતા.
રાજદૂત હંસ એ વખતે ત્યાં આવી લાગ્યો. એણે નમસ્કાર કરતાં કહ્યું : ‘મહાદેવી સુભદ્રા મને મળ્યાં. તેઓ આજની રાતને બહુ મહત્ત્વ આપે છે. કહે છે કે, જોજો, ચક્રવર્તી સામ્રાજ્યરસમાં જીવનના અન્ય રસોને વિસારે ન પાડે. તેઓ શિલ્પકારની સાથે જ છે, ને સરયૂ નદી જ્યાંથી વળાંક લે છે, ત્યાં અરીસાભવન માટે જગ્યા નક્કી કરી છે. અત્યારે જળવિહાર માટે એક નૌકા સજ્જ કરાવી રહ્યાં છે.’ રાજદૂત હંસ બોલતાં થોભ્યો. થોડી વારે એણે આગળ કહ્યું : ‘મહારાણી ઇચ્છે છે, કે આપ સામ્રાજ્યનું કામ જલદી ૬૦ * ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org